શું જરૂર પડશે તો EVMનો ઉપયોગ બંધ થઇ જશે? મુખ્ય ચૂંટણી કમિશ્નરે આપ્યો આ જવાબ

જ્યારે દેશમાં કોઇ પણ ચૂંટણી થાય અને વિપક્ષને હાર મળે છે ત્યારે વિપક્ષ માટે સૌથી હાથવગો આરોપ EVMમાં છેડછાડનો રહેતો હોય છે. વિપક્ષ એમ માને છે કે ભાજપ EVMમાં ગરબડ કરીને ચૂંટણી જીતે છે. કોંગ્રેસ સહિતના અનેક પક્ષો આવા આરોપો લગાવી ચૂક્યા છે. હવે જ્યારે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્વરને પત્રકારોએ EVM વિશે એક સવાલ પુછ્યો તો તેમણે કહ્યુ કે, કોર્ટમાં કેસનો હજુ નિર્ણય આવ્યો નથી. જો કોર્ટ કહેશે અને જરૂર પડશે તો અમે અમારા નિયમોમાં બદલાવ કરીશું.

દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે શનિવારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ઇલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટની સૂચનાઓનું પાલન કરશે. મુખ્ય ચૂંટણી કમિશ્નરે પત્રકારો સાથેની વાતમાં કહ્ય હતું કે, ચૂંટણી પંચ હમેંશા સૂચના પ્રવાહ અને ભાગીદારીમાં પારદર્શિતાના આધારે કામ કરે છે.સુપ્રીમ કોર્ટમાં તેના સોગંદનામામાં, ચૂટણી પંચે કહ્યું કે તે પારદર્શિતાની તરફેણમાં છે અને જ્યારે આદેશ જારી કરવામાં આવશે, ત્યારે તે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ પગલાં લેશે.

EVMના ઉપયોગ વિના ચૂંટણી યોજવા વિશે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ સાથે સંબંધિત એક સવાલ જ્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નરને પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, નિર્ણય આવવા દો, જો જરૂર પડશે તો કોર્ટની નિર્દેશો મુજબ ફેરફારો કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે ગયા ગુરુવારે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ઐતિહાસિક નિર્ણયમાં કહ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય છે અને તેની પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવે છે. મતલબ કે હવેથી કોઇ પણ વ્યક્તિ રાજકીય પાર્ટીઓને દાન આપી શકશે નહીં કે રાજકીય પાર્ટીઓ ઇલેક્ટોરલ બોન્ડ મારફતે કોઇ પણ દાન સ્વીકારી શકશે.

સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંકને પણ આદેશ કર્યો હતો કે 19 એપ્રિલ 2019થી અત્યાર સુધી કેટલી પાર્ટીઓને દાન મળ્યા અને આ દાન કોણે આપ્યા? તેની માહિતી 6 માર્ચે જાહેર કરવામાં આવે અને વેબસાઇટ પર સાર્વજનિક કરવામાં આવે.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે 2018ની યોજનાને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાવી હતી. સર્વોચ્ચ અદાલત કેન્દ્રની દલીલ સાથે સહમત ન હતી કે યોજનાનો ઉદ્દેશ્ય રાજકીય દાનમાં પારદર્શિતા લાવવાનો અને કાળા નાણાંને કાબૂમાં લેવાનો હતો.

About The Author

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.