જો આટલા વોટ પલટાશે તો પરષોત્તમ રૂપાલાને રાજકોટમાં ભારે પડશે
છેલ્લાં 26 દિવસથી રૂપાલા વિવાદે ગુજરાતમાં ભાજપ નેતાઓની ઉંઘ હરામ કરી નાંખી છે. રૂપાલાએ ક્ષત્રિયોની વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું તેને કારણે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે નારાજગી છે અને એ અસર જો મતદાન પર પડશે તો રૂપાલાને ભારે પડી શકે છે. રાજકારણના જાણકારોનું કહેવું છે કે, રાજકોટમાં જો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી