અંબાજીથી અમદાવાદ આવતા પરિવારને નડ્યો અકસ્માત, ઘટનામાં મહિલા અને બાળકીનું મોત

PC: youtube.com

સાબરકાંઠામાં કાર અકસ્માતમાં બે લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હોવાની જાણકારી મળી રહી છે. પોશીના નજીક મચકોડા પાસે આ સમગ્ર ઘટના બધી હતી. મૃતકમાં એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદનો કૌશલ પરિવાર કારમાં અંબાજીથી દર્શન કરીને કારમાં અમદવાદ પોતના ઘરે આવવા પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક કારનું સ્ટેરીંગ લોક થઇ જવાના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કાર સ્પીડમાં હોવાના કારણે કારની આગળના ભાગનો કચ્ચર ઘાણ બોલી ગયો હતો. ઘટનાને પગેલ રાહદારીઓ એકઠા થઇ ગયા હતા અને કારમાં સવાર લોકોને બચવાની કામગીરી શરૂ કરી હતી. લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને 108ને કરતા ગણતરીના સમયમાં 108 અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા અને એક બાળકીને ગંભીર ઈજાઓ થવાના કારણે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જેથી પોલીસે પ્રાથમિક તપાસ કરીને અકસ્માત મોતનો ગુનો દાખલ કરોને મહિલા અને બાળકીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખેડબ્રહ્માની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ લોકોને પણ સારવાર માટે 108ની મદદથી ખેડબ્રહ્માની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોની હાલત વધારે ગંભીર જાણવા મળશે, તો તેઓને હિંમતનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp