સિદ્ધુ અને કમલ હાસન ગજવા-એ-હિંદ છે: ગીરિરાજ સિંહ

PC: khabarchhe.com

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા મુદ્દે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહે કમલ હાસન અને નવજોતસિંહ સિદ્ધુ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સિદ્ધુ, કમલ હાસન અને નસરુદ્દીન શાહ પાકિસ્તાની ગજવા-એ-હિંદ લશ્કર છે. ગીરિરાજ સિંહે આરોપ લગાવતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ગજવા-એ-હિંદની ચર્ચા ચાલી રહી છે.

તેનો અર્થ ભારતનું ઇસ્લામીકરણ કરવાની વાતો થઈ રહી છે. જેને પુલવામા હુમલા બાદ વેગ મળ્યો છે. ભારતમાં નસરુદ્દીન શાહ અને કમલ હાસન જેવા લોકો તેમના એજન્ટ બની ગયા હોય તેવું લાગે છે જેઓ ગજવા-એ-હિંદની વાત કરે છે. ગીરિરાજ સિંહે આજે સવારે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, કમલ હાસન, નસરુદ્દીન શાહ, નવજોતસિંહ સિદ્ધુ અને ઇન્ટોલરન્સ ગ્રુપ પાકિસ્તાનનું ષડયંત્ર જનમત સંગ્રહની વાત કરે છે જ્યારે ભારત ગજવા-એ-હિંદને નિષ્ફળ કરવા અને અનુચ્છેદ 370 અને 35એને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp