ગુજરાતના IPSઅધિકારીઓની અચાનક કરાઈ બદલી,લિસ્ટમાં કોના કોના છે નામ જાણો

PC: khabarchhe.com

મંગળવાર સવારે ગુજરાત રાજ્યના કેટલાંક આઈપીએસ અધિકારીઓની અચનાક બદલી કરવામાં આવી છે. અચાનક બદલી કરવામાં આવી હોવાથી અધિકારીઓ પણ શોક થઈ ગયા છે. શા માટે અચાનક બદલી કરવામાં આવી હોય તેવી ચર્ચા અત્યારે પોલીસ વર્ગમાં થઈ રહી છે.

આજે સવારે એદકમ જ ગુજરાતના 6 આઈપીએસ અધિકારીની બદલી કરતા અધિકારીઓ આશ્ચર્ય પામી ગયા છે. જે 6 આઈપીએસ અધિકારીઓની બદલીમાં,બિપીની આહીર, આર.જે પારગી, કે.એન.ડામોર, વિધી ચૌધરી, એસ.વી.પરમાર અને હર્ષદ મહેતાનું નામ છે.

તમને જણાવી દઈએ કે, સુરત ઝોન-3માં બિપીન આહીર ડીસીપી તરીકે ફરજ બજાવે છે જેમની બદલી ગાંધીનગર ટ્રાફિક બ્રાંચ-2માં કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં ઝોન-7ના ડીસીપી આર.જે પારગીને વડોદરા રેલવેમાં એસ.પી તરીકે મુકવામાં આવ્યા છે.

તેમજ વડોદરા રેલવેના એસ.પી કે.એન. ડામોરની બદલી અમદાવાદ ઝોન-7ના ડીસીપી તરીકે કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ સુરત હેડક્વાર્ટરમાં કાર્યરત વિધી ચૌધરીને સુરત ઝોન-3ના ડીસીપી તરકે મૂકવામાં આવ્યા છે.

તે સિવાય બોટાદના એસ.વી.પરમારની બદલી સુરત હેટક્વાર્ટરમાં કરી દેવામાં આવી છે. તેમજ વડોદરા સેન્ટ્રલ જેલનાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે હોદ્દો સંભાળતા હર્ષદ મહેતાની બોટાદમાં એસ.પી તરીકે બદલી કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp