શું નિર્ભયાની માતા કેજરીવાલ સામે ચૂંટણી લડશે? આશા દેવીએ આપ્યો જવાબ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નિર્ભયાની માતા આશા દેવીએ તેમની ચૂંટણી લડવાની ખબરોને ખોટી ઠરાવી છે. તેમણે કહ્યું કે, તેમને રાજકારણમાં કોઈ રૂચિ નથી. તેમના માત્ર તેમની દીકરીનો ન્યાય જોઈએ છે. ખબરો ચાલી હતી કે આશા દેવી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.
એવી ખબર ચાલી હતી કે, નિર્ભયાની માતા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેની જાહેરત ટૂંક સમયમાં થઈ શકે છે. કારણ કે કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદે ટ્વીટ કરીને આશા દેવીને રાજકારણમાં આવવાની શુભેચ્છા પાઠવી હતી.
"ऐ मां तुझे सलाम"
— Kirti Azad (@KirtiAzaad) January 17, 2020
आशा देवी जी आपका स्वागत है https://t.co/XovQXVsLp9
જોકે, આશા દેવીએ સ્પષ્ટ કહી દીધું છે કે, તે રાજકારણમાં નથી આવી રહ્યા, ચૂંટણી સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં જે મોડું થઈ રહ્યું છે તેના જવાબદાર આશા દેવીએ દિલ્હી સરકારને ગણાવ્યા હતા. તેમણે એવું પણ કહી દીધું હતું કે, દિલ્હી સરકાર દોષિતોને બચાવવા માગે છે.
Asha Devi, mother of 2012 Delhi gangrape victim, on reports that Congress could field her against Delhi CM Kejriwal on New Delhi seat: I have no interest in politics. I have not spoken to anyone in Congress. I only want justice for my daughter and execution of the convicts. pic.twitter.com/SPcMxiLUw5
— ANI (@ANI) January 17, 2020
નિર્ભયાની માતાની PMને અપીલઃ
નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, સરકાર ચુપ છે, કોર્ટ ચુપ છે. કાયદામાં ખામી છે. જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય 2017માં આવી ગયો, ત્યારે હું દિલ્હી સરકાર પાસે ગઈ, કેન્દ્ર પાસે ગઈ. દોષિતોને આટલો અધિકાર શા માટે? દિલ્હી સરકાર પર વાર કરતા તેમણે કહ્યું કે, 2012માં જ્યારે ઘટના થઈ, તો આ જ લોકોએ તિરંગો લઈ અને કાળી પટ્ટી બાંધીને નારા લગાવ્યા હતા. પણ આજે આ જ લોકો નિર્ભયાની મોત સાથે ખિલવાડ કરી રહ્યા છે. આ લોકો તેમના ફાયદા માટે ફાંસી રોકીને બેઠા છે.
#WATCH Asha Devi, mother of 2012 Delhi gang-rape victim: Till now, I never talked about politics, but now I want to say that those people who held protests on streets in 2012, today the same people are only playing with my daughter's death for political gains. pic.twitter.com/FvaC89TwKI
— ANI (@ANI) January 17, 2020
હું પ્રધાનમંત્રીને એટલું જ કહેવા માગુ છું કે, તમે 2014માં કહ્યું હતું કે ‘બહુત હુઆ નારી પર વાર’ હવે મોદી સરકાર, પ્રધાનમંત્રીજી એક બાળકીની મોત સાથે મજાક નહિ થવા દો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp