સમગ્ર દેશમાં કોરોના વેક્સીનના 1.8 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા

PC: PIB

દેશમાં આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, કોરોના વેક્સીનના કુલ 1.8 કરોડથી વધારે (1,80,05,503) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 68,53,083 HCWs (પ્રથમ ડોઝ), 31,41,371 HCWs (બીજો ડોઝ), 60,90,931 FLWs (પથમ ડોઝ) અને 67,297 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહબીમારી ધરાવતા હોય તેવા 2,35,901 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 16,16,920 લાભાર્થી સામેલ છે.

ગઇકાલે રસીકરણ કવાયતના 48મા દિવસે (4 માર્ચ 2021) સમગ્ર દેશમાં રસીના લગભગ 14 લાખ (13,88,170) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 16,081 સત્રોનું આયોજન કરીને 10,56,808ને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) તેમજ 3,31,362 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. બીજી તરફ, છ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા પોઝિટિવ કેસની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કુલ પોઝિટિવ કેસ (16,838)માંથી 88.44% નવા કેસ આ છ રાજ્યોમાં છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં વધુ 8,998 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 2,616 જ્યારે પંજાબમાં વધુ 1,071 દર્દી પોઝિટિવ નોંધાયા છે.

ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા આજે 1.76 લાખ (1,76,319) નોંધાઇ છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસમાંથી એક્ટિવ કેસની સંખ્યા 1.58% છે. નીચે આપેલો આલેખ છેલ્લા 24 કલાકમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક્ટિવ કેસની સંખ્યામાં થયેલા તફાવતનો ચિતાર આપે છે. કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી અને ગુજરાતમાં સમાન સમયગાળા દરમિયાન એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે.

નીચે આપેલો આલેખ છેલ્લા એક મહિનામાં રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યામાં થયેલો ફેરફાર દર્શાવે છે. કેરળ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ એવા ટોચના 5 રાજ્યો છે જ્યાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જ્યારે બીજી તરફ, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી એવા ટોચના 5 રાજ્યો છે જ્યાં છેલ્લા એક મહિનામાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 1000 કરતાં ઓછી છે. અરુણાચલ પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 2 છે. દેશમાં કુલ પોઝિટિવિટી દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પોઝિટિવિટી દર 5.08% નોંધાયો છે.

આઠ રાજ્યોમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર રાષ્ટ્રીય સરેરાશ (2.09%) કરતા વધારે નોંધાયો છે જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાપ્તાહિક પોઝિટિવિટી દર 10.38% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના કારણે વધુ 113 દર્દીનાં મૃત્યુ નીપજ્યાં છે. નવા નોંધાયેલા મૃત્યુમાંથી 88.5% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક મૃત્યુઆંક (60) નોંધાયો છે. પંજાબમાં દૈનિક ધોરણે વધુ 15 અને કેરળમાં વધુ 14 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, ચંદીગઢ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરાખંડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp