પુલવામામાં આતંકી હુમલા અંગે શત્રુધ્ન સિંહાએ રાજનેતાઓને આપી ચેતવણી

PC: newsstate.com

કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં 42 જેટલા જવાનો શહીદ થવાને લઈને દ્રવી ઉઠેલા શત્રુધ્ન સિંહાએ ઝડપથી આતંકીઓને જવાબ આપવા ચેતવણી આવી છે. સાથે જણાવ્યું હતું કે, પુલવામામાં જે પણ થયું તે જોયા બાદ દેશભરમાં રોષ ફેલાયો છે. આ કાયરતાનું કૃત્ય છે. જોશમાં ક્યારેય પોતનો હોશ ન ગુમાવવો જોઈએ.

સિંહાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ હિંસા સામે જડબાતોડ જવાબ આપવાનું વચન આપ્યું છે. આપણે આક્રોશમાં આવીને જવાબ આપવો જોઈએ નહીં. આપણે કંઈક કરતા પહેલાં આપણા પગલાં વિશે ઉંડાણપૂર્વક વિચારવું જોઈએ. જ્યારે પંજાબના નેતા નવજોત સિંહ સિદ્ધુની પુલવામા આતંકી હુમલા અંગેની ટીકા અંગે બોલવા ઈન્કાર કરી રાજનેતાઓને આ પ્રકારના નિવેદન અંગે ચેતવણી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp