અમે તો સેવા માટે આવ્યા છીએ ભાજપ સત્તા માટે બેઠી છે: ઈશુદાન ગઢવી

PC: khabarchhe.com

ગુજરાતની 182 વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં તા 24થી 27 મે સુધી મોરબી-માળીયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા યોજાશે. જેમાં સ્વાગત કાર્યક્રમ, રેલી, જનસંવાદ, ધાર્મિક સ્થળોની મુલાકાત સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે.

આ અનુસંધાને મોરબીમાં ઈશુદાન ગઢવી એ મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં ગુંડા ભર્યા છે અને અહીં મોરબીના વેપારીઓને તથા સીરામીક એસોસિએશનના વેપારીઓને તથા ખેડૂતોને ભાજપની સરકાર હેરાન કરે છે. ભાજપની સરકારમાં અવારનવાર પેપર ફૂટી જાય છે અને તેને કારણે ઘણા બધા આશાસ્પદ યુવાનોનું સરકારી નોકરી મેળવવાનું સપનું રોળાઇ ગયું છે. અમારી સરકાર ક્યારેય ભ્રષ્ટાચારીઓને સાચવતી નથી.

તાજેતરમાં પંજાબમાં આરોગ્યમંત્રી લાંચ લેતા હોય એવી વાત સામે આવી એટલે તરત અમારી સરકારના સીએમ ભગવંત માને તુરંત આરોગ્ય મંત્રીને પુરાવા સાથે જેલભેગા કરી દીધા ત્યારે ભાજપની સરકારમાં તો કેટલા પેપર ફૂટ્યા છે. છતાં હજુ સુધી એક પણ ભ્રષ્ટાચારીને ભાજપની સરકારે જેલ ભેગા નથી કર્યા. એટલે જ અમે મોરબીમાં પરિવર્તન યાત્રા યોજી છે. મોરબીના પ્રજાના પ્રશ્નોને અમે સાંભળીએ છીએ એને વચન આપીએ છીએ કે જો અમારી સરકાર આવશે તો આ પ્રશ્નોના નિરાકરણ થશે. કારણ કે, અમે તો સેવા કરવા માટે આવ્યા છીએ. ભાજપની સરકાર સત્તા માટે બેઠી છે.

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ થવાની છે ત્યારે તા 24 ના રોજ મોરબીના વાવડી રોડ ઉપરના સરદાર ચેમ્બર ખાતે રાત્રે 8થી 10 કલાકે ઈસુદાન ગઢવીની જનસંવાદ સભા યોજી હતી. હવે આગામી 26 મેના રોજ સવારે 9 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે પરિવર્તન યાત્રાનું સ્વાગત કરશે પછી બાઈક અને કાર સાથે રેલી શહેરમાં નીકળશે અને બપોરે 1 વાગ્યે રેલી પૂર્ણ થશે. ત્યાર બાદ સાંજે 4થી 8 વાગ્યા સુધી ધાર્મિક સ્થળોની મુલાકાત કરવામાં આવશે અને રાત્રે 8થી 10 સુધી વાવડી ગામે ગામનો ચોરો જનસંવાદ કાર્યક્રમ યોજાશે.

તા 27ના રોજ સવારે 9 વાગ્યે પરિવર્તન યાત્રા માળિયા મીયાણા જવા રવાના થશે. 10થી 12 સુધી પરિવર્તન યાત્રા માળિયા મીયાણા શહેરમાં ફરશે ત્યાર બાદ જસાપર ગામે વિરામ કરશે અને ત્યાં 4થી 7 સુધી લોકો સાથે મીટિંગ અને ગામના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે. ત્યાર બાદ રાત્રે 8 વાગ્યે મોરબીની નરસંગ ટેકરી, રવાપર રોડ ખાતે સભા યોજાશે અને ત્યાંથી રાત્રે 10 વાગ્યે પરિવર્તન યાત્રા ધ્રાંગધ્રા તરફ જવા રવાના થશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, રાજુભાઈ કરપડા, કૈલાશદાન ગઢવી સહીતના નેતાઓ ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp