રિલાયન્સ કર્મચારીઓનો વેક્સીનેશનનો ખર્ચ ઉઠાવશે, નીતા અંબાણીએ કરી આ વિનંતી

PC: economictimes.indiatimes.com

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આજે એક ઇ-મેલ કરીને વિનંતી કરી છે કે ભારતના કોવિડ-19 વેક્સીનેશન કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવે અને તમામ કર્મચારીઓ, તેમના જીવનસાથી, માતા-પિતા અને બાળકોના વેક્સીનેશનનો ખર્ચ કંપની ઉઠાવશે. આ ઇ-મેલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, આપણા પરિજનોના સ્વાસ્થ્યની સંભાળ લઈને જે ખુશી મળે છે એ અનમોલ છે અને એ જ સાચો મતલબ છે પરિવારનો - રિલાયન્સ પરિવાર.

તેમણે એમ પણ કહ્યું કે, આપના સહયોગથી, બહુ જલદીથી આપણે મહામારીને પાછળ છોડી દઈશું. સુરક્ષા અને ચોખ્ખાઈના ઉચ્ચત્તમ માપદંડો જાળવવાનું યથાવત રાખો. આપણે મહામારી સામેના સહભાગી સંઘર્ષના અંતિમ તબક્કામાં છીએ. સાથે મળીને આપણે જીતવાનું છે અને જીતીશું.

અગાઉ રિલાયન્સ પરિવાર દિવસ 2020ના સંદેશામાં અધ્યક્ષ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ આશ્વાસન આપ્યું હતું કે, ભારતમાં જેવી માન્યતા પ્રાપ્ત કોવિડ-19 વેક્સીન ઉપલબ્ધ થશે કે તરત રિલાયન્સના કર્મચારીઓ અને તેમના કુટુંબીજનો માટે ત્વરિતમાં ત્વરિત વેક્સીનેશન શરૂ કરવાના શ્રેષ્ઠ પ્રયાસ કરાશે. રિલાયન્સ તેના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે વેક્સીનેશન માટે આગોતરું આયોજન કરશે.

સરકારે વિશ્વનો સૌથી મોટો કોવિડ-19 વેક્સીનેશન કાર્યક્રમ શરૂ કરી દીધો છે. કોરોના હારેગા, ઇન્ડિયા જીતેગા કહીને તેમણે કર્મચારીઓને લખેલો પત્ર સંપન્ન કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp