શા માટે વસંત પંચમીના રોજ કરવામાં આવે છે માતા સરસ્વતી પૂજા, જાણો મુર્હૂત

PC: dnaindia.com

હિન્દુ પંચાગ પ્રમાણે, માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિને વસંત પંચમીના નામથી ઓળખાય છે. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 16 ફેબ્રુઆરીના રોજ મંગળવારે આવી રહ્યો છે. તે દિવસે જ્ઞાન અને વાણીની દેવી મા સરસ્વતીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. મા સરસ્વતીની કૃપાથી વ્યક્તિને જ્ઞાન, બુદ્ધિ, વિવેકની સાથે વિજ્ઞાન, કળા અને સંગીતમાં મહારત હાંસલ કરવાના આશિશ મળે છે. વસંત પંચમીના દિવસે જ શા માટે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે તે અંગે આજે અહીં વાત કરશું અને તે દિવસમા મુર્હત, તિથિ અને થાળ ધરાવવાની સામાગ્રી અંગ પણ વાત કરશું.

વસંત પંચમી 2021 મુર્હત

માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથીની શરૂઆત 16 ફેબ્રુઆરીના રોજ સવારે 3 વાગ્યાને 36 મિનિટ પર શરૂ થઈ રહી છે, જે 17 ફેબ્રુઆરીના રોજ બુધવારે સવારે 5 વાગ્યાને 46 મિનિટ સુધીનો છે. તેવામાં વસંત પંચમીનો તહેવરા 16 ફેબ્રુઆરીના રોજ જ મનાવવામાં આવશે.

સરસ્વતી પૂજા મુર્હત

વસંત પંચમીના દિવસે તમારે માતા સરસ્વતીની પૂજા કરવા માટે કુલ 5 કલાક 37 મિનિટનો સમય મળશે. તમને આ સમયગાળાની અંદર જ મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. 16 ફેબ્રુઆરીના સવારે 6 વાગ્યાને 59 મિનિટથી બપોરે 12 વાગ્યાને 35 મિનિટની વચ્ચે માતા સરસ્વતીની પૂજા કરવાનું  મુર્હત બની રહ્યું છે.

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કેમ

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, જ્ઞાન અને વાણીની દેવી મા સરસ્વતી માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિએ જ બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. આ કારણે જ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાની રીત ચાલતી આવે છે. એવી પણ માન્યતા છે કે આ દિવસે સરસ્વતી માતાની આરાધના કરવાથી તે ઘણા જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે.

મા સરસ્વતીને જરૂરથી અર્પણ કરજો આ વસ્તુઓ

વસંત પંચમીના દિવસે વ્યક્તિએ સ્નાન વગેરે કામકાજ પતાવી દીધા પછી પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. માતા સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરવા દરમિયાન તેમને પીળા પુષ્પો, પીળા રંગની મિઠાઈઓ અથવા ખીર જરૂરથી અર્પિત કરવી જોઈએ. તે સિવાય તેમને કેસર અથવા ચંદનનો ટીકો લગાડવો જોઈએ. પાળી વસ્ત્રો પણ ભેટ ધરવા જોઈએ.

વસંત પંચમીનું મહત્ત્વ

વસંત પંચમીનો દિવસ શિક્ષા પ્રારંભ કરવા, નવી વિદ્યા, કળા, સંગીત વગેરે શીખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નાના બાળકોને આ દિવસે અક્ષરનું જ્ઞાન આપવામાં આવે છે. આજના દિવસે લોકો ગૃહ પ્રવેશનું પણ કાર્ય કરે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે વસંત પંચમીને કામદેવની પત્ની રતિની સાથે પૃથ્વી પર આવે છે અને દરેક તરફ પ્રેમનો સંચાર કરે છે. વસંત પંચમીને જ્ઞાન પંચમી અથવા શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. આજના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના સાથે ભગવાન વિષ્ણુ અને કામદેવની પણ આરાધના કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp