આકાંક્ષા મોત મામલે બોયફ્રેન્ડ સામે FIR,એક્ટ્રેસની માએ કહ્યુ-સમરે આપી હતી ધમકી

PC: bollywoodshaadis.com

ભોજપુરી ફિલ્મોની એક્ટ્રેસ આકાંક્ષા દુબેના મોતના મામલામાં એક નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે. હાલમાં જ વારાણસી પહોંચેલી આકાંક્ષાની માતા મધુ દુબેએ પોતાની દીકરીના મોતને આત્મહત્યા ના માનતા, તેને હત્યા ગણાવી હતી. એટલું જ નહીં, મધુએ ડાયરેક્ટ ફેમસ ભોજપુરી સિંગર સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર હત્યાનો આરોપ પણ લગાવી દીધો છે. આકાંક્ષા દુબેની માએ આ આરોપોના સંબંધમાં સારનાથ પોલીસ સ્ટેશનમાં તે બંને વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે અને ન્યાયની માંગણી કરી છે. ત્યારબાદ પોલીસે સમય અને સંજય વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો અને મામલાની તપાસ કરી રહી છે.

આકાંક્ષાની માએ સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહને દીકરીના મોત માટે જવાબદાર ગણાવ્યા છે. તેમજ, આરોપ લગાવ્યો છે કે બંનેએ જ આકાંક્ષાના પૈસા રોકી રાખ્યા હતા. મધુએ હત્યાની પાછળનું કારણ જણાવ્યું કે આકાંક્ષા દુબેના કામના બદલામાં બંનેએ જ કરોડો રૂપિયાનું ચુકવણી કરી ન હતી અને હત્યાની ધમકી પણ આપી દીધી હતી. આકાંક્ષાની માનું કહેવુ છે કે, પૈસા ના આપવા પડે એટલે સમર અને સંજયે તેની હત્યા કરી દીધી છે.

ભોજપુરી સિનેમામાં ઝડપથી ઊંચાઈ પર પહોંચનારી અને ખૂબ જ નામના મેળવી ચુકેલી એક્ટ્રેસ આકાંક્ષા દુબેનું મોત કાલે વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશનની હદમાં હોટેલ સોમેન્દ્ર રેસિડન્સીના રૂમ નંબર 105માં થયું હતું. આકાંક્ષાનું શવ તે રૂમમાં પંખાના સહારે લટકેલું મળી આવ્યું હતું. પોલીસ શરૂઆતથી જ મામલાને આત્મહત્યા માનીને તપાસ કરી રહી છે પરંતુ, આજે આ હાઈ પ્રોફાઇલ મામલામાં એક નવો ટ્વિસ્ટ આવ્યો. મુંબઈથી આવેલી આકાંક્ષાની મા મધુ દુબેએ તેને આત્મહત્યા માનવાનો ઇન્કાર કરી દીધો અને હત્યાનો આરોપ કોઈ અન્ય પર નહીં પરંતુ, ભોજપુરી ઇન્ડસ્ટ્રીના ચર્ચિત સિંગર સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર લગાવ્યો.

મધુ દુબેએ જણાવ્યું કે, છેલ્લાં 3 વર્ષથી તેની દીકરી ભોજપુરી સિંગર સમર સિંહના સંપર્કમાં હતી. આ દરમિયાન સમર સિંહે તેની પાસે ઘણું કામ કરાવ્યું અને દરેક મ્યુઝિક આલ્બમની જ્યાં 70000 ચુકવણી થાય છે, તો 3 વર્ષ સુધી કામ કરાવ્યા બાદ પણ એક રૂપિયો પણ ના આપ્યો. આ રીતે આકાંક્ષાના લગભગ બેથી ત્રણ કરોડ રૂપિયા સમર સિંહ પાસે બાકી થઈ ગયા. તેને લઈને ગત 21 માર્ચે બસ્તીમાં શૂટિંગ દરમિયાન આકાંક્ષાને સમરના ભાઈ સંજય સિંહે ધમકી પણ આપી હતી. કારણ કે, આકાંક્ષાએ તેના દ્વારા નવી ખરીદવામાં આવેલી ગાડીના સ્ટેટસ પર એવી કમેન્ટ કરી હતી કે બીજાના પૈસા પર એશ કરી લો. ત્યારબાદ સંજય સિંહે ફોન કરીને આકાંક્ષાને ગાયબ કરી દેવાની ધમકી આપી હતી.

આકાંક્ષાની મા મધુએ જણાવ્યું ધમકીવાળી વાત આકાંક્ષાએ એ જ દિવસે તેમને ફોન પર જણાવી હતી. મધુએ સમર સિંહ અને આકાંક્ષા વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધોનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, બંને વચ્ચે પતિ-પત્ની કે પછી લિવ ઇન જેવા કોઈ રિલેશન નહોતા. સમર સિંહે તેમની દીકરી સાથે લગ્નની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ, તેમણે ના પાડી દીધી હતી. મધુએ સ્પષ્ટરીતે આરોપ લગાવ્યો કે તેમની દીકરીની હત્યા થઈ છે. એટલે જ્યાં સુધી સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહની ધરપકડ ના થાય ત્યાં તેઓ પોતાની દીકરીના અંતિમ સંસ્કાર નહીં કરશે. તેમણે એવુ પણ જણાવ્યું કે, સમર સિંહ બીજા કોઈની સાથે કામ કરવા પર આકાંક્ષાને રોકતો પણ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp