‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલ ફેઇમ અભિનેતાએ કરી આત્મહત્યા

PC: google.com

છેલ્લા થોડા મહિનાઓથી ભારતીય ફિલ્મ જગતમાંથી સતત ખરાબ ખબરો સામે આવી રહી છે. આ ખરાબ ખબરોનો દોર થોભવાનું નામ નથી લઈ રહ્યો. સુશાંત સિંહ રાજપૂત, આશુતોષ ભાકરે, મનજીત સિંહ  બાદ વધુ એક સેલિબ્રિટીની આત્મહત્યાની ઘટના સામે આવી છે. ક્યોંકી સાસ ભી કભી બહુ થી સીરિયલમાં કામ કરી ચૂકેલા ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી હોવાની ખબર સામે આવી રહી છે. 44 વર્ષીય સમીર શર્માએ બુધવારે રાત્રે મલાડ પશ્ચિમ સ્થિત નેહા CHS બિલ્ડિંગમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ રિપોર્ટ મુજબ સમીરે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. નાઇટ ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીર શર્માના શવને લટકતું જોયું હતું.

સમીર શર્માએ ટીવીના અનેક શોમાં કામ કર્યું હતું. તેણે ક્યોંકી સાસ ભી કભી બહુ થી સિવાય કહાની ઘર ઘર કી, યે રિશ્તે હૈ પ્યાર કે, લેફ્ટ રાઇટ લેફ્ટ, જ્યોતિ, ગીત હુઇ સબસે પરાઇ, 2612, દિલ ક્યા ચાહતા હૈ, વીરાનગલી, વો રહેને વાલી મહેલો કી, આયુષ્માન ભવ, ઇસ પ્યાર કો ક્યાં નામ દું?, એક બાર ફીર, ભૂતુ જેવી સીરિયલોમાં કામ કર્યું હતું. હાલમાં તે યે રિશ્તે હૈ પ્યાર કે સીરિયલમાં સૌર્યા મહેશ્વરીનો રોલ કરી રહ્યો હતો.

સમીરે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની ડેબ્યૂ ફિલ્મ હંસી તો ફંસી હતી. તે ઇત્તેફાક ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો. સમીરે કેટલીય એડ્સ અને મોડેલિંગ અસાઇમેન્ટમાં પણ કામ કર્યું હતું. તે મૂળ દિલ્હીનો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બેંગ્લોર શિફ્ટ થઇ ગયો અને ત્યાં તેમણે એડ એજન્સીમાં કામ શરૂ કર્યું. પછી તે મુંબઈ એક્ટિંગ માટે આવી ગયો હતો.

બે મહિના પહેલા મનમીતે કરી હતી આત્મહત્યા

સબ ટીવીના શો આદત સે મજબૂર અને એન્ડ ટીવીના શો કુલદીપકમાં કામ કરી તૂકેલા અભિનેતા મનમીત ગ્રેવાલે 17 મેના રોજ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. 32 વર્ષીય મનમીત પોતાની પત્ની સાથે નવી મુંબઈના ખારકર વિસ્તારમાં ભાડાના એક નાના ફ્લેટમાં રહેતો હતો. પહેલેથી દેવામાં ડૂબેલા અને આર્થિંક સંકડામણથી ઝઝૂમી રહેલા મનમીત ગ્રેવાલ લોકડાઉનને કારણે નાના-મોટા કામ પણ બંધ થઇ જવાથી પરેશાન હતો અને પોતાનું ઘરનું ભાડું આપવામાં પણ અસમર્થ હતો. તેને કારણે તે ડિપ્રેશનનો શિકાર થઇ ગયો હતો.

અઠવાડિયા પહેલા જ મરાઠી એક્ટરે કરી હતી આત્મહત્યા

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યામાંથી હજુ ફેન્સ સારી રીતે ઊભરી નથી શક્યા ત્યાં તો જાણીતા મરાઠી એક્ટર આશુતોષ ભાકરેએ આત્મહત્યા કરી લીધી હોવાની ખબરો સામે આવી હતી.  મરાઠી એક્ટર આશુતોષ ભાકરેએ આત્મહત્યા કરી લીધી હતી. આશુતોષ 32 વર્ષનો હતો. તેણે કથિત રીતે નાંદેડ સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આશુતોષનું શવ નાંદેડ સ્થિત તેના બંગલામાં લટકેલી હાલતમાં મળી આવ્યું હતું. આશુતોષ 1 મહિના પહેલા નાંદેડ આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp