અમદાવાદમાં યુવકે પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

PC: dainikbhaskar.com

અમદાવાદમાં એક યુવકે પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે યુવકની અટકાયત કર્યા પછીના ગણતરીના કલાકોમાં યુવકે લોકઅપમાં આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ યુવકના પરિવારજનોએ પોલીસ પર યુવકને માર મારવાના આક્ષેપો કર્યા છે. પરિવારજનોની માગ છે કે, જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ યુવકની લાશનો સ્વીકાર કરશે નહીં.

રિપોર્ટ અનુસાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં રહેતા જીગર સોલંકીની સોમવારના રોજ CRPCની કલમ 151 અનુસાર ઝઘડાના કેસમાં અટકાયત કરવામાં આવી હતી. યુવકની અટકાયત પછી તેને રાત્રિના સમયે લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. અંદાજિત રાત્રિના 11 વાગ્યાની આસપાસ જીગરે લોકઅપમાં પોતાની પાસે રહેલી ચાદર વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જીગરના આપઘાતને પગલે પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસે જીગરના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને સમગ્ર મામલે આપઘાતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ ઘટનાની જાણ જીગરના પરિવારજનોને થતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસ પર જીગરને માર મારવાના આક્ષેપો કર્યા હતા. પરિવારના સભ્યોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ જીગરના મૃતદેહનો સ્વીકાર કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp