ભારતીય પુરુષો માટે ખતરો, વીર્ય વિશે આવ્યો ચિંતાજનક રિપોર્ટ

PC: navbharattimes.indiatimes.com

ભારત સહિત વિશ્વભરમાં પુરૂષોના સ્પર્મ કાઉન્ટની સંખ્યા ઘટી રહી છે. વૈજ્ઞાનિકોની એક ટીમે સાત વર્ષ સુધી કરેલા સંશોધન બાદ આ દાવો કર્યો છે. આ સંશોધન હ્યુમન રિપ્રોડક્શન અપડેટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે 2011 અને 2018 વચ્ચે કરવામાં આવ્યો હતો. તેને લગભગ સાત વર્ષનો સમય લાગ્યો અને જે પરિણામો આવ્યા તેણે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા.

આ સંશોધન આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યું હતું જેમાં વૈજ્ઞાનિકોની ઘણી ટીમોએ ભાગ લીધો હતો. આ દરમિયાન, તેમણે 53 દેશોના 57,000 થી વધુ પુરુષોના શુક્રાણુના નમૂનાઓના આધારે 223 અભ્યાસ કર્યા. આમાં દક્ષિણ અમેરિકા, એશિયા અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે જ્યાં આવો અભ્યાસ અગાઉ ક્યારેય કરવામાં આવ્યો ન હતો. અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પહેલીવાર આ વિસ્તારોના લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો અને અહીંના લોકોમાં ટોટલ સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ કોન્સન્ટ્રેશનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ આ પ્રકારનું સંશોધન ઉત્તર અમેરિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે અને ત્યાં પણ સમાન આંકડાઓ જોવા મળ્યા હતા.

શુક્રાણુઓની સંખ્યા માત્ર પ્રજનન ક્ષમતા સાથે જોડાયેલી નથી હોતી, પરંતુ તે પુરુષોના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. શુક્રાણુઓની ઓછી સંખ્યા ટેસ્ટિક્યુલર (રિપ્રોડક્ટિવ પાર્ટ) કેન્સર સહિત ઘણા રોગોનું કારણ બની શકે છે અને તે પુરુષોના જીવનકાળને પણ અસર કરે છે.

અભ્યાસમાં, વર્ષ 2000 પછી, આ ઘટાડામાં તેજી જોવા મળી છે.

રિસર્ચમાં સામેલ હિબ્રુ યુનિવર્સિટીના પ્રોફેસર હેગાઈ લેવિને ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ભારતમાં આ ઘટાડો વધુ જોવા મળ્યો છે. અહીંથી અમને ખૂબ જ સારો ડેટા મળ્યો છે, જેના રિસર્ચમાં અમને જાણવા મળ્યું કે ભારતમાં પણ સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થયો છે. જો કે તે સમગ્ર વિશ્વ સમાન છે. ખરાબ જીવનશૈલી અને પર્યાવરણમાં હાજર ખતરનાક કોમિકલો સ્પર્મની ગુણવત્તામાં ઘટાડો થવાનું એક મુખ્ય કારણ છે.

તેમણે કહ્યું, છેલ્લા 46 વર્ષમાં સમગ્ર વિશ્વમાં સ્પર્મ કાઉન્ટમાં 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તાજેતરના વર્ષોમાં તેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સ્થિતિ કોઈ મહામારી જેવી છે. આ બધે થઈ રહ્યું છે. જેના કારણે આપણે ઈચ્છીએ તો પણ છટકી શકતા નથી.

બધા માટે સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, માનવી સહિત વિશ્વની દરેક પ્રજાતિઓને સુરક્ષિત રાખવા માટે તેમને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે. ઉપરાંત, પ્રજનન ક્ષમતાને અસર કરતા પરિબળોને દૂર કરવા જોઈએ.

1973 થી 2018 સુધીના ડેટા દર્શાવે છે કે શુક્રાણુઓની સંખ્યામાં દર વર્ષે સરેરાશ 1.2 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડામાં વર્ષ 2000 પછી, પ્રતિ વર્ષ 2.6 ટકાથી વધુ વધારો જોવા મળ્યો હતો.

આપણી સામે એક ગંભીર સમસ્યા છે, જેનો ઉકેલ ન આવે તો માનવીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે ભારતમાં અલગથી સંશોધન થવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp