બારડોલીની પાયલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમ્યાન નવજાત અને માતાનું મોત થતા હોબાળો

PC: khabarchhe.com

બારડોલીની પાયલ હોસ્પિટલમાં નવજાત બાળકનું તથા તેની માતાનું ડિલિવરી બાદ મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસે હાલમાં જાણવા જોગ ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત મોટા વરાછાની નાથુ નગર સોસાયટીમાં રહેતી જીગીશા જયેશભાઇ પટેલ (26) ગર્ભવતી હોય પોતાના પિયર બારડોલી તાલુકાના રામપરા ( ખરવાસા) ગામે રહેવા આવી હતી. જ્યાં તેણીને છેલ્લો મહિનો ચાલતો હોય 25મી ઓક્ટોબર રવિવારના રોજ બારડોલીના સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં આવેલી પાયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

દરમ્યાન સોમવારે સવારે તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ ચાલુ સારવાર દરમ્યાન નવજાત બાળકનું મોત થઈ ગયું હતું. જ્યારે ડિલિવરી દરમ્યાન જીગીશાબેનનું ગર્ભાશય ફાટી જતા તેમને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સાંજે તેણીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મહિલાના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. જો કે પોલીસે પહોંચી મામલો શાંત કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે અશ્વિનભાઈ હરીશભાઈ પટેલની જાહેરાતને આધારે જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp