ભારત અને નાઇજિરિયા વચ્ચે બાહ્ય અવકાશમાં સંશોધન માટેના કરાર થયા

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને નાઇજિરિયા વચ્ચે શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે બાહ્ય અવકાશમાં સંશોધન અને ઉપયોગમાં સહકાર આપવા માટેના સમજૂતી કરાર (MoU)ને મંજૂરી આપી છે. આ MoU પર જૂન 2020માં બેંગુલુરુ સ્થિત ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જ્યારે નાઇજિરિયાની રાષ્ટ્રીય અવકાશ સંશોધન અને વિકાસ એજન્સી (NASRDA) દ્વારા 13 ઑગસ્ટ 2020ના રોજ અબુજા ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ MoUથી હસ્તાક્ષર કરનારા બંને પક્ષકારો સહકારના સંભવિત હિત ક્ષેત્રો જેમકે, પૃથ્વી પર રીમોટ સેન્સિંગ; ઉપગ્રહ સંદેશા વ્યવહાર અને ઉપગ્રહ આધારિત દિશાસૂચન; અવકાશ વિજ્ઞાન અને ગ્રહોનું સંશોધન; સ્પેસક્રાફ્ટ, લોન્ચ વ્હિકલ, અવકાશ પ્રણાલીઓ અને ભૂમિગત પ્રણાલીઓનો ઉપયોગ; જીઓસ્પેટિઅલ ટૂલ્સ અને ટેકનિકો સહિત અવકાશ ટેકનોલોજીનો પ્રેક્ટિકલ અમલ; અને સહકારના અન્ય ક્ષેત્રો નિર્ધારિત કરી શકશે.

આ MoUથી સંયુક્ત કાર્યકારી સમૂહ તૈયાર કરાશે, અવકાશ વિભાગ (DOS)/ ISRO અને નાઇજિરિયાની રાષ્ટ્રીય અવકાશ સંશોધન અને વિકાસ એન્જસી (NASRDA)માંથી સભ્યો લેવામાં આવશે, જેઓ અમલીકરણની સમયમર્યાદા અને માધ્યમો સહિત આગળના પગલાંઓની યોજના પર વધુ કામ કરશે.

MoU પર હસ્તાક્ષરના કારણે, સંયુક્ત કાર્યકારી સમૂહ તૈયાર કરાશે, અવકાશ વિભાગ (DOS)/ ISRO અને નાઇજિરિયાની રાષ્ટ્રીય અવકાશ સંશોધન અને વિકાસ એજન્સી (NASRDA) માંથી સભ્યો લેવામાં આવશે, જેઓ અમલીકરણની સમયમર્યાદા અને માધ્યમો સહિત આગળના પગલાંઓની યોજના પર વધુ કામ કરશે.

હસ્તાક્ષર કરવામાં આવેલા આ MoUના કારણે પૃથ્વીના રીમોટ સેન્સિંગ; ઉપગ્રહ સંદેશાવ્યવહાર; ઉપગ્રહ દિશાસૂચન; અવકાશ વિજ્ઞાન અને બાહ્ય અવકાશમાં સંશોધન ક્ષેત્રમાં નવી સંશોધન પ્રવૃત્તિઓ અને અમલીકરણની સંભાવનાઓનું અન્વેષણ કરવામાં વેગ આવશે.

હસ્તાક્ષર કરનારા પક્ષો પારસ્પરિક રીતે નક્કી કરવામાં આવેલા કાર્યક્રમો સહકારના ધોરણે આગળ વધારવાનો ઇરાદો રાખે છે. આવી પ્રવૃત્તિઓ માટે સહી કરનારા પક્ષો દ્વારા પ્રત્યેક કેસ અનુસાર પારસ્પરિક રીતે ભંડોળની વ્યવસ્થા નક્કી કરવામાં આવશે. સંયુક્ત પ્રવૃત્તિઓનું ભંડોળ આ MoUના અનુસંધાને હાથ ધરવામાં આવશે જે સંબંધિત હસ્તાક્ષર કરનાર પક્ષોના કાયદા અને નિયમનોના અનુપાલનમાં જે-તે હસ્તાક્ષરકર્તા પક્ષકારો દ્વારા પૂરું પાડવામાં આવશે અને તે આ હેતુઓ માટે ફાળવવામાં આવેલા ભંડોળની ઉપબલ્ધતાને આધીન રહેશે.

આ MoU દ્વારા નાઇજિરિયા સરકાર સાથે સહકારથી માનવજાતના લાભાર્થે અવકાશ ટેકનોલોજીના અમલીકરણના ક્ષેત્રમાં સંયુક્ત પ્રવૃત્તિઓ વિકસાવી શકાશે. આમ, તમામ દેશના તમામ વર્ગો અને પ્રાંતોને આનાથી લાભ થશે.

ભારત અને નાઇજિરિયા એક દાયકા કરતાં વધારે સમયથી ઔપચારિક અવકાશ સહકાર માટે પ્રયાસ કરી રહ્યાં છે. નાઇજિરિયામાં ભારતીય હાઇ કમિશન દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ સાથે, અવકાશ સહકાર માટે આંતર સરકાર MoUનો મુસદ્દો MEA દ્વારા નાઇજિરિયાના સત્તામંડળને આપવામાં આવ્યો હતો. રાજદ્વારી ચેનલ મારફતે કેટલાક પુનરાવર્તનો પછી, બંને પક્ષો MoUના વ્યવહારુ મુસદ્દા પર આવ્યા હતા અને આંતરિક મંજૂરીઓ માટે તેની આગળની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. MoU પર હસ્તાક્ષર કરવા માટે સમયસર મંજૂરી મળી ગઇ હોવા છતાં, 2019ના અંતિમ ચરણમાં અને 2020ના પ્રારંભિક ચરણમાં કોવિડ-19 મહામારીની પરિસ્થિતિના પરિણામરૂપે કેટલીક મુલાકાતો રદ કરવામાં આવી હોવાથી MoU પર હસ્તાક્ષર કરવા માટે ઉચિત તકો / પ્રસંગો આવ્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp