સી-પ્લેનને મરમ્મત માટે માલદીવ લઇ જવું નહીં પડે...જાણો ક્યાં કરાશે

PC: indiatvnews.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન હવે મરામત માટે બહાર લઇ જવું નહીં પડે, કારણ કે હવે આ સી-પ્લેનની મરામત સાબરમતી રિવરફ્રન્ટ પર થશે. આ જગ્યાએ મેન્ટેનન્સ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધી આ સી-પ્લેનને મેન્ટેનન્સ માટે બહાર લઇ જવું પડતું હતું પરંતુ હવે આ સુવિધા અમદાવાદમાં જ ઉપલબ્ધ કરવામાં આવી છે.

અમદાવાદ રિવરફ્રન્ટ થી કેવડિયાને જોડતું સી-પ્લેન સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળ જોવા માટે શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રવાસીઓને એક નવું નજરાણું ભેટમાં મળ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માગતા પ્રવાસીઓ સી-પ્લેનની મુસાફરી કરી શકે છે. આ સી-પ્લેનને ઘણીવાર મરામતની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે તેને બહાર લઇ જવામાં આવે છે પરંતુ હવે સી-પ્લેનની જેટી પાસે સી-પ્લેન મેન્ટેનન્સ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હોવાથી કોઇ અગવડતા સર્જાશે નહીં.

સાબરમતી રિવરફ્રન્ટમાં 40 ફુટ લાંબુ અને છ ફૂટ પહોળું મેન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેનને મરામત કામ માટે માલદીવ મોકલવામાં આવતું હતું અને તેમાં ઇંધણનો ખર્ચ થતો હતો. ઇંધણનો ખર્ચ બચાવવા માટે હવે આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. હવે પ્રવાસીઓને લાંબો સમય સુધી સી-પ્લેનની મુસાફરી કરવાનો ઇન્તજાર કરવો નહીં પડે.

સૂત્રોએ જણાવ્યું હતું કે 31મી ઓક્ટોબર 2020ના રોજ સરદાર પટેલની જન્મજ્યંત નિમિત્તે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનમાં મુસાફરી કરીને આ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. આ સી-પ્લેનને મરામત માટે અત્યાર સુધીમાં ત્રણ વખત માલદીવ લઇ જવામાં આવ્યું છે. હવે પ્લેટફોર્મ બની જતાં સી-પ્લેનને માલદીવ લઇ જવામાં નહીં આવે અને પ્રવાસીઓને ઝડપી સુવિધા મળી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp