કાંદાની માળા સાથે પ્રચારમાં નીકળ્યા તેજસ્વી યાદવ, કહ્યું- સરકાર આ અંગે જવાબ આપે
બિહાર ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ(RJD)એ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે. RJD નેતા તેજસ્વી યાદવે આજે સવારે કાંદાની માળા લઈને પ્રચારમાં ઉતરેલા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નાના વેપારીઓને BJP સરકારે મારી નાખ્યા છે. મોંઘવારી વધવા પર BJPના લોકો કાંદાની માળા પહેરીને ફરતા હતા, હવે અમે તેમને આ પાછી સોંપી રહ્યા છે.
कमर तोड़ महंगाई, भ्रष्टाचार, बेरोजगारी से आम आदमी त्राहिमाम कर रहा है। काम-धंधा ठप्प है। किसान,मज़दूर,नौजवान और व्यापारी वर्ग को खाने के लाले पड़ रहे है। छोटे व्यापारियों को BJP सरकार ने मार दिया है।महंगाई बढ़ने पर ये लोग प्याज़ का माला पहन कर घूमते थे अब हम उन्हें यह सौंप रहे है pic.twitter.com/0kLOPwVrOx
— Tejashwi Yadav (@yadavtejashwi) October 26, 2020
RJDના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, કાંદા કિલોએ 100 રૂપિયા પર પહોંચવાનો છે. રોજગાર નથી, લોકોને ખાવા માટે ફાંફા પડી રહ્યા છે. કાંદા 50-60 રૂપિયે કિલો થવા પર જે લોકો કાંદા માટે રડતા હતા, તેઓ અત્યારે ક્યાં છે. અત્યારે તો 80 રૂપિયાને પાર છે કાંદા. દેશભરના ગરીબોને પૂછવામાં નથી આવી રહ્યું પરંતુ તેમની પર હુમલો કરવામાં આવી રહ્યો છે.
Those who were speaking about onion when it touched Rs 50-60/kg are now silent when it has crossed Rs 80/kg. Farmers are being destroyed, youth is unemployed, Bihar is poor and people are migrating for education, jobs & medical help. Starvation is on a rise: Tejashwi Yadav, RJD https://t.co/m7B3WpiRXr
— ANI (@ANI) October 26, 2020
RJD નેતા તેજસ્વીએ વધુમાં કહ્યું હતું કે, બિહારમાં કુલ 60 ઘોટાળા થયા છે, જેમાંથી આશરે 30,000 કરોડ રૂપિયા ચાઉ કરી જવામાં આવ્યા છે. મુશ્કેલીના સમયમાં પણ પૈસાનો કોઈ હિસાબ નથી. ભ્રષ્ટાચાર ઘણો વધી રહ્યો છે, લાંચ આપ્યા વગર કોઈ કામ થતું નથી. નીતિશજીએ આ એક પરંપરા બનાવી દીધી છે કે કોઈ પણ કામ ચઢાવો આપ્યા વગર થશે નહીં.
आदरणीय नीतीश जी पूर्णत: ऊर्जाविहीन हो चुके है। उनकी पकाऊ, थकाऊ, उबाऊ, बासी और घिसी-पिट्टी बातों से जनता पक चुकी है।
— Tejashwi Yadav (@yadavtejashwi) October 25, 2020
थक चुके नीतीश कुमार जी वास्तविकता, तर्क और तथ्यों से भाग रहे है। बिहार के करोड़ों युवाओं का वर्तमान और भविष्य बर्बाद कर वो इतिहास के बासी पन्नों को पलट रहे है।
બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પ્રચારના પહેલા તબક્કાનો આજે છેલ્લો દિવસ છે અને દરેક પક્ષના નેતાઓ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે રેલીઓ યોજી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવ આ વખતે હસનપુર બેઠક પરથી ચૂંટણીમાં ઉતર્યા છે. આજે સવારે તેજ પ્રતાપ માટે ચૂંટણીનો પ્રચાર કરવા તેમની સાથે તેમના ભાઈ અને આરજેડી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ આવી શકે તેમ છે.
#WATCH Bihar: RJD leader Tej Pratap Yadav played cricket with children in Hasanpur Assembly constituency, earlier today, while campaigning for his party.#BiharElections2020 pic.twitter.com/2b54qMsNyx
— ANI (@ANI) October 25, 2020
તેજસ્વી યાદવની રેલી પહેલા તેજ પ્રતાપ યાદવે અનોખા અંદાજમાં સૌ કોઈને આમંત્રણ આપ્યું છે. તેજ પ્રતાપ યાદવે ટ્વીટમાં લખ્યું છે કે, તારીખ 26-11-2020ના હસનપુરની ક્રાંતિકારી ધરતી પર અર્જુન તેજસ્વી યાદવનું આગમન થવા જઈ રહ્યું છે. હસનપુરની તમામ જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. હસનપુરની રેલી પહેલા તેજ પ્રતાપ યાદવ ગામના કેટલાક છોકરાઓ સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પહેલો તબક્કો 28 ઓક્ટોબર, 3જી નવેમ્બર અને 7 નવેમ્બરે યોજાશે. અને 10 નવેમ્બરના રોજ ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp