ખેતરમાં રસ્તાના વિવાદમાં પિતરાઈ ભાઈઓએ ભાઈની હત્યા કરી નાંખી

PC: Youtube.com

લાલચ મનુષ્યની પાસેથી ન કરવાના કામ પણ કરાવી દે છે. ખેતરમાંથી ચાલવાના રસ્તા બાબતે લાંબા સમયથી ચાલતી માથાકૂટમાં પિતરાઈ ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને મૃતકના પુત્રની ફરિયાદ લઇને આરોપીઓનો શોધખોળ શરૂ કરી છે. ભાઈઓએ જ રસ્તા બાબતે ભાઈને મોતને ઘાટ ઉતારી દેતા ગામમાં પણ ચકચાર મચી જવા પામી છે.

રિપોર્ટ અનુસાર ગોવિંદભાઈ ચૌધરી સમી તાલુકામાં આવેલા મુબરક્પુરા ગામમાં પરિવારની સાથે રહેતા હતા. ગોવિંદભાઈને છેલ્લા કેટલાક સમયથી તેમના પિતરાઈ ભાઈ હેમરાજ ચૌધરી, દેવજી ચૌધરી, મહાદેવ ચૌધરી અને હરી ચૌધરી સાથે ખેતરમાં ચાલવા માટેના રસ્તા બાબતે માથાકૂટ ચાલી રહી છે. આ તમામ પિતરાઈ ભાઈના ખેતરો બાજુબાજુમાં આવેલા છે. ખેતરમાંથી રસ્તા કાઢવાના કજિયાના કારણે હેમરાજ ચૌધરી, દેવજી ચૌધરી, મહાદેવ ચૌધરી અને હરી ચૌધરીએ ગોવિંદભાઈને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવ્યો હતો.

પ્લાન અનુસાર ગોવિંદભાઈ જ્યારે પોતાના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે હેમરાજ, દેવજી, મહાદેવ અને હરી એક ટ્રેક્ટર સવાર થઇને આવ્યા અને ખેતરના રસ્તા પર જ ચારેય ગોવિંદભાઈ પર તીક્ષ્ણ હથીયારો લઇને તૂટી પડ્યા હતા અને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગોવિંદભાઈની હત્યા કરીને તમામ લોકો ફરાર થઇ ગયા હતા. હત્યાની ઘટનાને પગલે સમી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગોવિદભાઇની લાશનું પંચનામું કરીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. બીજી તરફ પોલીસે ગોવિંદભાઈના પુત્ર ભરતની ફરિયાદને લઇ ચારેય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp