ગુજરાતના એક ખેડૂતે આ કારણે ગુવાર, બાજરી, તલ અને મગના પાકને સળગાવી દીધો

PC: youtube.com

રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં સતત વધારો કરી રહ્યો છે. એક તરફ વીમા કંપનીઓ સરવે નામે ખેડૂતોને વીમો ચૂકવવા માટે મોડું કરી રહી છે તો કેટલીક જગ્યા પર વીમા કંપનીઓના માણસો સરવે કરવામાં મનમાની કરી રહ્યા છે. ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થવાના કારણે હવે ખેડૂતો પોતાનો પાક સળગાવી રહ્યા છે. બનાસકાંઠામાં એક ખેડૂતે તેના ખેતરમાં રહેલો પાક કંટાળીને બાળી નાંખ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર દિવસથી બનાસકાંઠાના સરહદી વિસ્તાર કહેવામાં આવતા વાવા, થરાદ અને સુઈગામ પંથકમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે. જે સમયે ખેડૂતોએ પોતાનો પાક ખેતરના સૂકવવા માટે મૂક્યો હતો. તે સમયે જ આ વરસાદ પડતા ખેડૂતોના પાકને ખૂબ નુકશાન થયું છે. સરકારે દ્વારા ખેડૂતો માટે રાહતની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડૂતોમાં હજુ પણ રોષ યથાવત છે. બનાસકાંઠામાં આવેલા કાણોઠી ગામમાં એક ખેડૂતેનો પાક છેલ્લા ત્રણ દિવસથી પડતા વરસાદમાં પલળી જવાના કારણે પાક નિષ્ફળ ગયો હતો. વરસાદના કારણે ખેડૂતોના ગવાર, બાજરી, તલ અને મગના પાકને ખૂબ નુકશાન થયું હતું. તેથી ખેડૂતે પોતાનો પાક બાળી નાંખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાજકોટના પડધરીના મોવૈયાના ખેડૂતોએ વરસાદથી ખરાબ થઇ ગયેલી મગફળી અને મગફળીના પથારા સળગાવીને વિરોધ કર્યો હતો. એક ખેડૂતે 15 વીઘા જમીનમાં મગફળી સળગાવી હતી. મહત્ત્વની વાત છે કે, કમોસમી વરસાદ પછી મગફળીના ખરાબ પાકને ખેતરમાંથી નિકાલ કરવા માટે ખેડૂતો પાસે પૈસા ન હોવાના કારણે તેમને મગફળી અને પાથરા સળગાવવાનો વારો આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp