હથેળીઓ જમીન પર રાખીને કરાઈ શહીદની બહેનની વિદાઈ
તાજેતરમાં બિહારમાં એક લાગણીસભર રીતે કન્યા વિદાઈ થઈ. વાત છે બિહારની, જ્યાંના શહીદ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેન શશિકલાના લગ્નમાં ઈન્ડિયન એર ફોર્સના સો જેટલા ગરૂડ કમાન્ડો હાજર રહ્યા હતા. એટલું જ નહીં ગરૂડ કમાન્ડોઝે ગામની પરંપરા મુજબ શહીદની બહેનને જમીન પર હથેળીઓ મૂકીને બહેનને એ હથેળીઓ પર ચલાવી અને તેને લગ્નમંડપ સુધી લઈ ગયા હતા.
શહીદ ભાઈની આ બહેનની આવી વિદાઈથી લગ્નમાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. તો શહીદ જ્યોતિ પ્રકાશ નિરાલાના પિતાએ આનંદ વ્યક્ત કર્યો હતો કે એરફોર્સના જવાનોએ શહીદ દીકરાની કમી મહેસૂસ થવા દીધી નહોતી.
ઉલ્લેખનીય છે કે ગરૂડ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાએ બાંદીપુરામાં થયેલી આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં આતંકવાદીઓનો સામનો કર્યો હતો અને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. સાથોસાથ એ ધિંગાણા વખતે તેમણે તેમના સાથી ઘાયલ જવાનોની પણ મદદ કરી હતી. જોકે કમનસીબે એ મુઠભેડમાં જ્યોતિ પ્રકાશ નિરાલા શહીદ થતા હતા. તેમની બહાદૂરીને ધ્યાનમાં રાખીને તેમણે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મરોણત્તર અશોકચક્ર એનાયત કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp