ઉત્તર પ્રદેશના મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ભગાડી કીમમાં ટ્રેન સામે પડતું મુક્યું
કીમ રેલવે સ્ટેશન પર ગત મોડી રાત્રિએ એક યુવક અને યુવતીએ ટ્રેનની સામે પડતું મુકી આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક મુસ્લિમ અને યુવતી હિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર, 23 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે 10 વાગ્યાના સમયગાળાની આસપાસ ડાઉન લાઇન પર એક યુવક અને યુવતીએ કોચીવલ્લી એક્સપ્રેસ ટ્રેનની સામે પડતું મુકીને આપઘાત કર્યો હતો. યુવક અને યુવતીના આપઘાતને પગલે રેલવે સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે સમગ્ર ઘટનાની જાણ કોસંબા રેલવે પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે યુવક અને યુવતીના મૃતદેહની તપાસ કરતા બંને પાસેથી કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા તે પરથી જાણવા મળ્યું હતું કે મૃતક યુવાન ઉત્તર પ્રદેશના શરખેલપુર, કંધાઈ, જિલ્લો પ્રતાપગઢનો રહેવાસી શાહબાજ ખાન છે.
સુત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરતા માહિતી મળી હતી કે, મુસ્લિમ યુવાન હિંદુ યુવતીને ભગાડીને તેની સાથે લઈ ગયો હતો અને આ સમગ્ર મામલે યુવતીના પિતા દ્વારા યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ઘટના પરથી સવાલો ઉઠી રહ્યા છે કે, યુવક યુવતીને ભગાડીને ગુજરાતમાં લઈ આવ્યો હતો છતાં પણ તેને એવી તે શું મુશ્કેલી હતી કે બંનેએ ટ્રેન સામે પડતું મુકીને ગુજરાતમાં આપઘાત કર્યો.
બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ પોલીસે યુવતીના પિતાને કરતા તેઓ ઉત્તર પ્રદેશથી કીમ આવવા રવાના થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp