શું CM સિદ્ધારમૈયા પૂરા કરશે 5 વર્ષનો કાર્યકાળ? ડિસેમ્બર બાદ મંત્રીમંડળમાં ફેરબદલની સંભાવના

કર્ણાટકમાં મોટા રાજકીય પરિવર્તનની અફવાઓ ઘણા દિવસોથી ચાલી રહી છે. જોકે, રાજ્યના મુખ્યમંત્રીમાં ફેરફારની શક્યતા ઓછી છે. સૂત્રોના સંદર્ભે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. કોંગ્રેસ હાઇકમાન્ડ હાલમાં મુખ્યમંત્રી બદલવાના મૂડમાં નથી. ગુરુવારે મોડી રાત્રે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ફોન પર લગભગ 10 મિનિટ વાત કરી હતી. ડિસેમ્બર બાદ કર્ણાટકમાં મંત્રીમંડળમાં ફેરબદલ થવાની સંભાવના છે. રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર બાદ મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર કરતા વધુ ધારાસભ્યોનું સમર્થન છે. જો કે, ડી.કે. શિવકુમારની છાવણીના સભ્યો પણ દિલ્હીમાં ધામો નાખી રહ્યા છે, અને ડી.કે. શિવકુમારના છાવણીના કેટલાક વધુ સભ્યો સોમવાર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે.

રણદીપ સૂરજેવાલાએ શું કહ્યું?

આ બાબતે માહિતી આપતા કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ લખ્યું કે, ‘કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે વાત થઈ અને તેઓ સહમત થયા કે ખરાબ રીતે પરાજિત થયેલી અને જૂથબંધીમાં વહેંચાયેલી કર્ણાટક ભાજપ, મીડિયાના એક વર્ગ સાથે મળીને કર્ણાટક અને તેની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ જાણી જોઈને બદનામ કરવાનું અભિયાન ચલાવી રહી છે. તેનો એકમાત્ર હેતુ 5 વર્ષ જૂની કોંગ્રેસ સરકારની શાનદાર ઉપલબ્ધિઓ અને ગેરંટીઓને નબળી પાડવાનો છે, જે સમાવેશી વિકાસ અને સમાવેશી ન્યાયનું એક શાનદાર મોડેલ બની ગઈ છે. કેટલાક કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોના અયોગ્ય નિવેદનોએ પણ અટકળોને વેગ આપ્યો છે. કોંગ્રેસે તેમને નેતૃત્વના મુદ્દા પર કોઈપણ જાહેર નિવેદનો આપવા અથવા તેમના વ્યક્તિગત લાભ માટે અનુસરવામાં આવતા કોઈપણ એજન્ડામાં ન આવવાની કડક ચેતવણી આપી છે. પાર્ટીના વિવિધ પક્ષના નેતાઓના મંતવ્યો પર ધ્યાન આપવામાં આવ્યું છે.

ડી.કે. શિવકુમારનો કેમ્પ હાલમાં દિલ્હીમાં છે. ડી.કે. શિવકુમાર કેમ્પના વધુ સભ્યો સોમવાર સુધીમાં દિલ્હી પહોંચવાની અપેક્ષા છે. જો કે, પ્રભારીના X પોસ્ટ બાદ માનવામાં આવી રહ્યું છે કે હવે વધુ લોકો દિલ્હી નહીં આવે. એવામાં જોવાનું રહેશે કે ડી.કે. શિવકુમાર પોતાનું શક્તિ પ્રદર્શન ચાલુ રાખશે કે નહીં.

About The Author

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.