દેશમાં કેટલી વખત ઇમરજન્સી લાગેલી, ઇન્દિરા ગાંધીના સમયમાં શું થયેલું?

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 27 જૂન, ગુરુવારે જ્યારે લોકસભામાં અભિભાષણ આપ્યું ત્યારે ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ હતું કે, 25 જૂન 1975ની કટોકટીએ બંધારણ પરના હુમલાનો સીધો પુરાવો હતો, પરંતુ દેશ આમાંથી બહાર આવી ગયો. આ પહેલાં લોકસભાના સ્પીકર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો.

આમ તો દેશમાં 3 વખત ઇમરજન્સી એટલે કે કટોટકી લાદવામાં આવી હતી, પરંતુ 1975ની કટોકટીનું કારણ સાવ જુદુ હતું. 26 ઓક્ટોબર 1962થી 10 જાન્યુઆરી 1968 સુધી દેશમાં પહેલાવાર ઇમરજન્સી લાગૂ કરવામાં આવી હતી, કારણકે તે વખતે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. એ પછી 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને કારણે કટોકટી નાંખવામાં આવી હતી.

25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી ઇંદિરા ગાંધીના કહેવાથી દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી હતી. તેનું કારણ એવું હતું કે ઇંદિરા ગાંધી જે રાયબરેલીથી ચૂંટણી જીત્યા હતા તેને પડકારતી એક અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે 12 જૂન 1975ના દિવસે ઇંદિરા ગાંધીની જીતની ચૂંટણી રદ કરતો ચુકાદો આપ્યો હતો. જેને કારણે દેશમાં હોબાળો થયો અને લોકોએ ઇંદિરા ગાંધીના રાજીનામાની માંગ કરી હતી. જેમાં અનેક લોકોના મોત થયા હતા.

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.