કેનેડાના PMએ ખૂબ મોટી ભૂલ કરી દીધી છે, પેન્ટાગનના પૂર્વ અધિકારીએ એમ કેમ કહ્યું

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ખાલિસ્તાની ચરમપંથી હરજીત સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવવાને લઈને દેશ જ નહીં, વિદેશી નેતાઓના નિશાના પર પણ આવી ગયા છે. હવે અમેરિકાના પૂર્વ અધિકારીએ કહ્યું કે, જસ્ટિન ટ્રૂડોએ મોટી ભૂલ કરી દીધી છે. પેન્ટાગનના પૂર્વ અધિકારી માઇકલ રૂબીને કહ્યું કે, વડાપ્રધાન ટ્રૂડોએ એ આરોપ લગાવીને ખૂબ મોટી ભૂલ કરી દીધી છે કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે ભારતના સંબંધ છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન પોતાના આરોપોને સાબિત ન કરી શકવામાં પોતે અસમર્થ છે. મને લાગે છે કે વડાપ્રધાન ટ્રૂડોએ ખૂબ મોટી ભૂલ કરી છે. તેમણે જે આરોપ લગાવ્યા છે તેના પુરાવા તેઓ પોતે જ નહીં આપી શકે. તેમની પાસે ભારત સરકાર વિરુદ્ધ લગાવેલા આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. પેન્ટાગનના પૂર્વ અધિકારીએ ટ્રૂડો પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે એ બતાવવું પડશે કે તેમની સરકાર એક આતંકીને કેમ આશ્રય આપી રહી છે.

તેમણે ભારત સરકાર વિરુદ્ધ કેનેડિયન વડાપ્રધાનના આરોપો પર તેમના વિચાર પૂછવા પર ઉપરોક્ત વાતો કહી. ટ્રૂડોએ સોમવાર (18 સપ્ટેમ્બર)ના રોજ કેનેડાની સંસદની અંદર હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. નિજ્જરને ભારતે આતંકી જાહેર કરી રાખ્યો છે. તેની 18 જૂનના રોજ કેનેડાના સરેમાં એક ગુરુદ્વારા બહાર ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી. પેન્ટાગનના પૂર્વ અધિકારી માઇકલ રૂબિન અમેરિકન એન્ટરપ્રાઈઝીસના ફેલો પણ છે.

તેઓ ઈરાન, તુર્કી અને દક્ષિણ એશિયાના મામલાઓના એક્સપર્ટ છે. અમેરિકન, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ટિપ્પણી પર કહ્યું કે, અમેરિકા હંમેશાં ઇન્ટરનેશનલ દમણ વિરુદ્ધ ઊભું છે, જો બ્લિંકન આ નિવેદન આપે છે તો અમે વાસ્તવમાં પાખંડી થઈ રહ્યા છીએ, કેમ કે અમે જે બાબતે વાત કરી રહ્યા છીએ, તે ઇન્ટરનેશનલ દમન નથી. બ્લિન્કને 22 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે, નિજજરની હત્યામાં ભારત સરકારની સંડોવણી બાબતે ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી અમેરિકા ખૂબ ચિંતિત છે.

બ્લિન્કને એમ પણ કહ્યું હતું કે, અમેરિકા જવાબદાર દેખાડવા માગે છે. આ અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ 21 સપ્ટેમ્બરના રોજ કહ્યું કે ખાલિસ્તાની ચરમપંથી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતના સંભવિત સંબંધો બાબતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપ રાજનીતિથી પ્રેરિત છે. નિજજરની હત્યાના સંબંધમાં કેનેડાએ ભારતને કોઈ જાણકારી શેર કરી નથી.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ...
Sports 
પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામ હોવા છતાં, રાજદ્વારી યુદ્ધ હજુ પણ ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
National 
ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

(ઉત્કર્ષ પટેલ) દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું. માતાનો પ્રેમ એ...
Opinion 
દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે, પરંતુ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યુદ્ધવિરામની જાહેરાત પર...
National  Politics 
ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.