'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

રાજસ્થાનના રાજકારણમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના સંબંધો અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ તાજેતરમાં સપ્ટેમ્બર 2022ની ઘટનાઓનો ઉલ્લેખ કરીને પાયલટ પર આકરા પ્રહારો કર્યા હતા; જોકે, પાયલટની નજીકના સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના નેતાએ આ વખતે પણ વાકયુદ્ધથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિન પાયલટ ગેહલોતના તીક્ષ્ણ હુમલાઓ અંગે પોતાનું મૌન જાળવી રાખશે અને તેના બદલે ભાજપ સરકારને ઘેરવા માટે પોતાની રાજકીય ઉર્જાનો ઉપયોગ કરશે. તેમનું ધ્યાન NEET પેપર લીક, CBSE વિવાદ, વધતી જતી મોંઘવારી અને રાજસ્થાનમાં ભજનલાલ શર્મા સરકારના અધૂરા વચનો જેવા મુદ્દાઓ પર રહેશે. આ પહેલીવાર નથી જ્યારે અશોક ગેહલોતે તેમના પર નિશાન સાધ્યું હોય.

પાયલટની નજીકના લોકોનો દાવો છે કે સચિને ભૂતકાળમાં ક્યારેય વ્યક્તિગત હુમલાઓનો જવાબ આપ્યો નથી. તેમણે સતત ટકરાવ કરતા વધારે સંયમ અને નરમીનો માર્ગ પસંદ કર્યો છે. પાયલટનું માનવું છે કે આ સમયે દેશના યુવાનોને લગતા મુદ્દાઓ વધુ મહત્ત્વપૂર્ણ છે; તેથી, તેઓ NEET પેપર લીક અને CBSE સંબંધિત વિવાદોને પ્રાથમિકતા આપી રહ્યા છે.

gehlot2
facebook.com/AshokGehlot.Rajasthan

આ સાથે જ, તેઓ રાજસ્થાનમાં ભાજપ સરકારને તેના પ્રદર્શનના આધારે ઘેરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પાયલટ કેમ્પનું કહેવું છે કે ભજનલાલ શર્મા સરકાર અઢી વર્ષથી વધુ સમયથી સત્તામાં છે, પરંતુ ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા ઘણા મોટા વચનો અધૂરા રહ્યા છે. એવામાં, કોંગ્રેસ પાર્ટીએ જાહેર મુદ્દાઓ પર સંઘર્ષ કરવો જોઈએ.

રવિવારે, અશોક ગેહલોતે સપ્ટેમ્બર 2022ના ઘટનાક્રમ વિશે વિસ્તૃત વાત કરી, જેણે રાજસ્થાન કોંગ્રેસમાં એક મોટી રાજકીય સંકટ ઉભું કર્યું હતું. ગેહલોતે જણાવ્યું હતું કે 25 સપ્ટેમ્બર, 2022ની ઘટનાઓ કોંગ્રેસ હાઇકમાન્ડ સામે બળવો નહોતી; તેના બદલે, તે પાયલટના મુખ્યમંત્રી બનવાની સંભાવના અંગે ધારાસભ્યોની અસહમતિ હતી.

તે સમયે જયપુરમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન અંગે નિર્ણય લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષને અધિકૃત કરતો એક લીટીનો ઠરાવ પસાર કરવાનો હતો. તે સમયે, એવી તીવ્ર અટકળો ચાલી રહી હતી કે જો અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બને છે, તો રાજસ્થાનની કમાન સચિન પાયલટને સોંપવામાં આવી શકે છે.

જોકે, પાર્ટી નેતૃત્વ દ્વારા નિરીક્ષકો મોકલવા અને સત્તાવાર કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવા છતા, મોટી સંખ્યામાં ધારાસભ્યો હાજર રહ્યા નહોતા. તેના બદલે, તેઓ મંત્રી અને ગેહલોતના નજીકના સહયોગી શાંતિ ધારીવાલના નિવાસસ્થાને ભેગા થયા હતા. પરિણામે, વર્ષોમાં પહેલી વાર, કોંગ્રેસ વિધાનસભા પક્ષનો ઠરાવ પસાર થઈ શક્યો નહીં.

Gehlot-Vs-Pilot1
indiatvnews.com

અશોક ગેહલોતે જણાવ્યું હતું કે જ્યારે તેઓ તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ બનવાની રેસમાં હતા, ત્યારે અચાનક એવા સંજોગો ઉભા થયા જે તેમને કાવતરા જેવા લાગ્યા. આ સમગ્ર ઘટનાક્રમે તેમની છબીને નુકસાન પહોંચાડ્યું હતું. ગેહલોતે એ પણ સ્વીકાર્યું કે, તેમને સોનિયા ગાંધીની હાજરીમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષનો ઠરાવ પસાર ન કરાવવા બદલ દુઃખ થયું હતું.

જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડ સામે બળવા જેવી કોઈ વાત જ નથી. તેમણે કહ્યું કે, પાર્ટી હાઇકમાન્ડ સામે ક્યારેય બળવો થઈ શકે નહીં. ગેહલોતે દાવો કર્યો હતો કે વાસ્તવિક મતભેદ સચિન પાયલટને લઇને હતો, કારણ કે કેટલાક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. પોતાના નિવેદનમાં, અશોક ગેહલોતે 2020ના રાજકીય સંકટનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સચિન પાયલટે તે સમયે તેમની સરકાર અને નેતૃત્વ સામે બળવો કર્યો હતો.

તે બળવાને કારણે રાજસ્થાનમાં એક મોટું રાજકીય સંકટ સર્જાયું હતું, જેને કોંગ્રેસ નેતૃત્વના હસ્તક્ષેપ બાદ ઉકેલવામાં આવ્યું હતું. તે સમયે, ગેહલોતે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. જોકે વિવાદ ઘીમે-ઘીમે શાંત થયો, પરંતુ બંને નેતાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા.

Fathima-Thahiliya
zeebiz.com

ગેહલોતે એવો પણ દાવો કર્યો હતો કે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) સરકારના કાર્યકાળ દરમિયાન સચિન પાયલટને કેન્દ્રીય મંત્રી બનાવવામાં તેમની ભૂમિકા હતી. ગેહલોત અને પાયલટ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અંગેનો સૌથી વધુ ચર્ચિત પ્રકરણ 2020માં બહાર આવ્યું હતું, જ્યારે ગેહલોતે જાહેરમાં પાયલટને નકામા અને અક્ષમ ગણાવ્યા હતા. આમ છતા, પાયલટે ક્યારેય એ ભાષામાં જવાબ ન આપ્યો; તેઓ અગાઉ જાહેર પ્લેટફોર્મ પર કહી ચૂક્યા છે કે તેમને ઉશ્કેરણીના રાજકારણમાં કોઈ રસ નથી.

તેમણે કહ્યું હતું કે નામ લઈને જવાબ આપવાને બદલે, તેમણે આદર, ધીરજ અને ઉદારતા દર્શાવવાનું પસંદ કર્યું. પાયલોટે એમ પણ કહ્યું હતું કે પાર્ટી હાઈકમાન્ડે તેમને માફ કરવા અને ભૂલી જવાની સલાહ આપી હતી અને તેમણે તે સલાહનું પાલન કર્યું. તેમના મતે, આ નિર્ણય પાર્ટી, રાજસ્થાન અને તેમના પોતાના રાજકીય ભવિષ્યના હિતમાં હતો.

About The Author

Related Posts

Top News

અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

અમેરિકામાં સ્થાયી થવા માગતા અને ત્યાં કામ કરતા હજારો ઇમિગ્રન્ટ્સ માટે એક બહુ મોટા રાહતના સમાચાર આવ્યા છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટનની...
World 
અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

સરકારે LPG સબસિડી કેમ વર્ષના 9 સિલિન્ડરથી ઘટાડીને 4 કરી દીધી? જાણો અસલી કારણ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ સબસિડીવાળા LPG  સિલિન્ડર રિફિલની સંખ્યા ઘટાડવાના સરકારના તાજેતરના નિર્ણયે દેશના અનેક પરિવારોમાં સવાલો ઊભા...
National 
સરકારે LPG સબસિડી કેમ વર્ષના 9 સિલિન્ડરથી ઘટાડીને 4 કરી દીધી? જાણો અસલી કારણ

'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

રાજસ્થાનના રાજકારણમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના સંબંધો અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ તાજેતરમાં સપ્ટેમ્બર ...
Politics 
'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યૂસુફ પઠાણ માટે મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે વડોદરામાં અતિક્રમણના કેસ...
Gujarat 
વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’
Copyright (c) Khabarchhe All Rights Reserved.