ફાઈનલમાં હાર બાદ કેપ્ટન મારક્રમે કહ્યું- અમને ગર્વ છે કે...

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે ભવ્ય જીત મેળવી લીધી, આફ્રિકાની ટીમ ફરીએકવાર ચોકર્સ સાબિત થઈ. 28 બોલમાં 27 રનની જરૂર હતી, છતા સાઉથ આફ્રિકાની ટીમ ભારત સામે હારી ગઈ હતી અને વર્લ્ડ કપ જીતવાનું સપનું જ તેમના માટે રહી ગયું હતું. આ હાર બાદ સાઉથ આફ્રિકન ટીમના કેપ્ટન એડન મારક્રમે હારના કારણ વિશે વાત કરી હતી.

મારક્રમે કહ્યું હતું કે, આ હારથી વધુ નિરાશ છું અને વાસ્તવમાં આખી ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શન બાદ આવું પરિણામ આવતા દુઃખ થયું પણ ઈમાનદારીથી કહું તો ખૂબ ગર્વ પણ છે. અમે સારી બોલિંગ કરી, પણ આ એકવો ટાર્ગેટ હતો, જેને હાંસલ કરી શકાય એમ હતો. સારી બેટિંગના અંત સુધી અમે ટક્યા રહ્યા પણ લક્ષ્યને હાંસલ ન કરી શક્યા. છેલ્લા બોલ સુધી ક્યારેય ગેમ પૂરી નથી થતી, સાઉથ આફ્રિકન ખેલાડી ખૂબ વધુ પ્રતિસ્પર્ધી, સન્માનીય છે અને અમે લડીને હાર્યા છે, જેનાથી મને પણ ટીમ પર ગર્વ છે.

મારક્રમે કહ્યું- અમે બેટિંગ વખતે ક્યારેય સહજ ન થઈ શક્યા અને હંમેશાં સ્કોરબોર્ડ પર દબાણ રહ્યું. આ ખરેખર એક સારી ગેમ હતી, જેણે સાબિત કર્યું કે અમે ફાઇનલિસ્ટ બનવા યોગ્ય હતા.

સાઉથ આફ્રિકન કેપ્ટને કહ્યું હતું કે- મારા સાથીઓ પર મને ગર્વ છે, જે પોતાની પહેલી વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચીને ચોકર્સનો ટેગ હટાવવામાં કંઈક અંશે સફળ રહ્યા છે. ભારતના વખાણ કરતા તેણે કહ્યું કે, આ ક્રિકેટ છે, આ મુશ્કેલ ક્રિકેટ છે. ટ્રોફી જીતવી સરળ નથી અને તમારે ટ્રોફી ઉઠાવવા માટે ભારત જેવી ટીમને સલામ કરવી પડે, જેમાં ખૂબ જ મહેનત લાગે છે.

રોહિતે શું કહ્યું...

મેચ બાદ રોહિતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આ મારી અંતિમ મેચ પણ હતી. અલવિદા કહેવા તેનાથી સારો સમય નહીં હોય શકે. હું તેને (ટ્રોફી) ઈચ્છતો હતો. તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. હું એ જ ઈચ્છતો હતો અને એવું જ થયું. હું પોતાના જીવનમાં તેના માટે ખૂબ ઉત્સુક હતો. ખુશી છે કે આ વખત અમે સીમા પર કરી લીધી. રોહિત શર્માએ 159 T20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારત માટે 32.05ની એવરેજ અને 140.89ની સ્ટ્રાઈક રેટથી 4231 રન બનાવ્યા.

તેના નામે T20 ઇન્ટરનેશનલમાં 5 સદી અને 32 અડધી સદી છે. આ ફોર્મેટમાં તેનો મહત્તમ સ્કોર નોટ આઉટ 121 રન છે. તે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ જીતનારી ટીમનો પણ હિસ્સો હતો અને તે ભારતનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે ભારત માટે 2 T20 વર્લ્ડ કપ જીત્યા છે. રોહિતે ભારત માટે પોતાનું T20 ડેબ્યૂ 2007ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની મેચથી કર્યો હતો. 2022ના T20 વર્લ્ડ કપમાં પણ ભારતે ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી હતી, પરંતુ સેમીફાઇનલમાં ટીમને ઇંગ્લેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.