બીજી ટેસ્ટ પહેલા પૂજારાએ આ જોડીને ન તોડવાની રોહિતને સલાહ આપી

ભારતના મહાન અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ડે-નાઈટ ટેસ્ટ માટે રોહિત શર્મા માટે નવો બેટિંગ ઓર્ડર સૂચવ્યો છે. પૂજારાનું કહેવું છે કે, રોહિતને બેટિંગમાં ઓપનિંગ કરવા ન મોકલવો જોઈએ. તેણે કહ્યું કે, યશસ્વી જયસ્વાલની સાથે KL રાહુલને બીજી ટેસ્ટમાં પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે મોકલવો જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 6 ડિસેમ્બરથી બીજી ટેસ્ટમાં આમને-સામને થશે.

ભારતના અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરવાની સલાહ આપી છે. રોહિત શર્મા પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો હતો. ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં KL રાહુલને યશસ્વી જયસ્વાલનો ઓપનિંગ પાર્ટનર બનાવ્યો હતો. યશસ્વીએ બીજા દાવમાં સદી ફટકારી હતી, જ્યારે KL રાહુલે અડધી સદી ફટકારી હતી. પુજારાનું કહેવું છે કે, એડિલેડમાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં પણ KL રાહુલને જયસ્વાલની સાથે ઓપનિંગ કરવા મોકલવો જોઈએ.

રોહિત શર્માની ગેરહાજરીમાં રાહુલે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મિડલ ઓર્ડરને બદલે ટોપ ઓર્ડર પર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાના છેલ્લા બે પ્રવાસમાં ભારતીય બેટિંગની કરોડરજ્જુ બનેલા પૂજારાનું માનવું છે કે, પ્રથમ ટેસ્ટમાં 295 રનની જીત પછી ઓપનિંગ જોડીમાં કોઈ ફેરફાર નહીં થવો જોઈએ. જયસ્વાલે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી, જ્યારે KL રાહુલે 26 અને 77 રનની ઇનિંગ્સ રમી હતી.

પૂજારાએ એક સ્પોર્ટ્સ ચેનલને કહ્યું હતું કે, 'મને લાગે છે કે બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર નહીં થવો જોઈએ. KL રાહુલ અને યશસ્વી ઇનિંગની શરૂઆત કરે અને રોહિત ત્રીજા અને શુભમન પાંચમા ક્રમે આવે. જો રોહિત ઇનિંગ્સની શરૂઆત કરવા માંગતા હોય, તો KL રાહુલ ત્રીજા નંબર પર આવવો જોઈએ. પરંતુ તેનાથી નીચે નહીં. મને લાગે છે કે, તેણે ટોપ ઓર્ડરમાં જ પ્રવેશ કરવો જોઈએ, કારણ કે તે તેની રમતની શૈલીને અનુરૂપ થાય છે.

અંગૂઠાના ફ્રેક્ચરને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહેલો ગિલ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાનાર ડે-નાઈટ ટેસ્ટ રમશે. પૂજારાએ કહ્યું, 'ગિલને પાંચમા નંબર પર આવવું જોઈએ, કારણ કે તે તેને સમય આપશે. જો બે વિકેટ ઝડપથી પડી જાય તો પણ તે નવા બોલને સારી રીતે રમી શકે છે. આ પછી તે 25મી કે 30મી ઓવરમાં પોતાના શોટ્સ રમી શકે છે. જો ત્રણ વિકેટ ઝડપથી પડી જાય તો તે આવી શકે છે અને રીષભ પંત જૂના બોલ માટે તૈયાર છે જ. રીષભ પંતને નવો બોલ નહીં રમવો પડે.' ભારતીય ટીમ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે.

About The Author

Related Posts

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.