KKRએ નવા કેપ્ટનની જાહેરાત કરી, શ્રેયસની ગેરહાજરીમાં સંભાળશે જવાબદારી

IPL 2023 પહેલા, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર ઓછામાં ઓછી અડધી સિઝન માટે બહાર હોવાના અહેવાલો હતા અને હવે તેની સાબિતી થઈ ગઈ છે. KKR ફ્રેન્ચાઇઝીએ નવા કેપ્ટનની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે, શ્રેયસ અય્યર શરૂઆતની કેટલીક મેચો ચૂકી જશે. તેની ગેરહાજરીમાં, ટીમનું નેતૃત્વ મુખ્ય બેટ્સમેન નીતીશ રાણા કરશે, જે ઘણી સીઝનથી KKRનો ભાગ રહેલો છે. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ દરમિયાન તેમના નિયમિત સુકાની અય્યરને પીઠમાં ઈજા થતાં બે વખતના IPL ચેમ્પિયનને નવા કેપ્ટનની શોધ કરવાની ફરજ પડી હતી.

નીતીશ રાણાની સાથે સુનીલ નારાયણ પણ કાર્યકારી કેપ્ટનશિપ માટેના બે ઉમેદવારોમાંથી એક હતા. તે 2012માં ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો હતો અને હજુ પણ તેનો ભાગ છે. સુનીલ નારાયણે તાજેતરમાં ILT20ની પ્રથમ સિઝનમાં અબુ ધાબી નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કર્યું હતું. જો કે, તેની કપ્તાની હેઠળ ટીમ માત્ર એક મેચમાં જીત મળી હતી અને આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના સત્તાવાર નિવેદનમાં કહ્યું, 'જો કે અમને આશા છે કે શ્રેયસ સાજો થઈ જશે અને IPL 2023ની આવૃત્તિમાં કોઈક તબક્કે ભાગ લેશે, અમે ભાગ્યશાળી છીએ કે નીતિશ મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં તેની રાજ્યની ટીમનું નેતૃત્વ કરવાનો સુકાનીપદનો અનુભવ અને 2018થી KKR સાથે IPLનો અનુભવની સાથે તે શાનદાર કામ કરશે.

અમને એ પણ વિશ્વાસ છે કે મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત અને સપોર્ટ સ્ટાફ હેઠળ, તેને મેદાનની બહાર ખૂબ જ જરૂરી સપોર્ટ મળશે અને ટીમના ઉચ્ચ અનુભવી ખેલાડી મેદાનમાં જરૂર પડ્યે નીતિશને સમર્થન આપશે. અમે તેને તેની નવી ભૂમિકા અને શ્રેયસમાં સંપૂર્ણ અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીએ છીએ.'

IPL 2023માં, કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ 1 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. બે વખતની ચેમ્પિયન KKR તેની પ્રથમ મેચ 6 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. ગત સિઝનમાં KKRનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ટીમે ટૂર્નામેન્ટમાં સાતમા સ્થાને રહીને પોતાની સફર પૂરી કરી હતી.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.