SA વિરુદ્ધ શાનદાર ઇનિંગ રમ્યા છતા મેચ બાદ રિંકુ સિંહે કેમ કહેવું પડ્યું સોરી

ભારત અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની બીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ભારત તરફથી સૌથી વધુ રન રિંકુ સિંહના બેટથી નીકળ્યા. રિંકુ સિંહે પોતાની ઇનિંગના દમ પર ભારતીય ટીમને 180 રનો સુધી પહોંચાડી હતી. 3 મેચોની સીરિઝની બીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં પણ વરસાદે બાધા નાખી અને ડેકવર્થ લુઈસ મેથડથી દક્ષિણ આફ્રિકન ટીમને 15 ઓવરમાં 152 રનોનો ટારગેટ મળ્યો હતો, જેને દક્ષિણ આફ્રિકાએ 13.5 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.

ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર રિંકુ સિંહે પોતાની બેટિંગ દરમિયાન મીડિયા બોક્સનો કાંચ તોડી દીધો હતો. મેચ બાદ રિંકુ સિંહે જણાવ્યું કે, મેચ દરમિયાન કયા પ્રકારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની મદદ કરી અને કાંચ તોડનાર સિક્સ પર પણ તેણે પોતાના વિચાર રાખ્યા. રિંકુ સિંહે કહ્યું કે, સમજવામાં તેને સામે લાગી રહ્યો હતો અને એક વખત વિકેટ સારી રીતે સમજ્યા બાદ તેણે ખૂલીને બેટિંગ કરી. મેચ બાદ BCCIએ રિંકુ સિંહનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેને કહ્યું કે, વિકેટ થોડી મુશ્કેલ હતી.

તેણે કહ્યું કે, એક વખત તેના પર સેટ થયા બાદ મેં પોતાના શોટ્સ લગાવ્યા. સૂર્યકુમાર યાદવ મને એમ કહી રહ્યો હતો કે પેનિક ન કર અને પોતાની નેચરલ ગેમ રમ. એ વાતોનો મને ફાયદો મળ્યો. કાંચ તોડનાર સિક્સ બાબતે રિંકુ સિંહે કહ્યું કે, મને તો એ વાત અત્યારે જ ખબર પડી રહી છે, તેના માટે હું સોરી કહી રહ્યો છું. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતના બંને ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. ભારતે 6 રનની અંદર જ બંને ઓપનર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યારબાદ તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે મળીને સ્કોર 55 રનો સુધી પહોંચાડ્યો હતો. તિલક વર્મા 29 રન બનાવીને આઉટ થઈ ગયો અને ભારતીય ટીમ ખૂબ દબાવમાં આવી ગઈ. ત્યારબાદ રિંકુ સિંહે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે મળીને ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. રિંકુ સિંહે 39 બૉલ પર 68 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો અને આ દરમિયાન તેણે 9 સિક્સ અને 2 છગ્ગા લગાવ્યા.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.