પૂર્વ ખેલાડીએ બતાવી પાકિસ્તાની ટીમની આ નબળાઇ, ભારત માટે મોટો ફાયદો બની શકે

પાકિસ્તાનના એક પૂર્વ ક્રિક્રેટરે પોતાના જ દેશની ટીમની નબળાઇ બતાવી છે, જેને કારણે ભારતીય ક્રિક્રેટ ટીમને મોટો ફાયદો થઇ શકે છે.

જેની દુનિયાભરના ક્રિક્રેટ ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ભારત-પાકિસ્તાન વન-ડે વર્લ્ડકપ મેચને હવે એક જ દિવસ આડો છે. 14 ઓકટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાઇવોલ્ટેજ મેચ રમાવવવાની છે. જ્યારે પણ ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે બંને દેશોમાં ભારે ટેન્શન રહેતું હોય છે. આ મેચ જાણે યુદ્ધ હોય તેવી રીતે જોવામાં આવે છે.

વન ડે વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાન સામે થવા જઈ રહ્યો છે. આ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણપણે તૈયાર છે. ભારત અને પાકિસ્તાન બંનેએ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ 2 મેચ જીતી છે. પરંતુ તેમ છતાં પાકિસ્તાનની ટીમમાં મોટી નબળાઈ છે. જેની ઓળખ હવે પાકિસ્તાનના એક દિગ્ગજ ક્રિકેટરે કરી દીધી છે.

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર આકિબ જાવેદનું માનવું છે કે નસીમ શાહની ગેરહાજરીમાં હસન અલી નઇ બોલિંગ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ નથી. વ્હાઇટ બોલ ક્રિકેટમાં હરિસ રઉફને નિખાર આપવામાંમાં આકિબે મહત્વની ભૂમિકા ભજવી છે. આકિબે કહ્યું કે જો આપણે નવા બોલ પર નજર કરીએ તો તેમણે છેલ્લા 12 મહિનામાં કોઈને તૈયાર કર્યા નથી. અકીબે કહ્યુ કે, પાકિસ્તાનનાપસંદગીકારોને ખબર ન હતી કે નસીમની ગેરહાજરીમાં નવા બોલ સાથે ત્રીજો વિકલ્પ કોણ હશે. એશિયા કપ દરમિયાન તેમણે કોઈને અજમાવ્યા પણ નહીં.

ICC મેન્સ વન-ડે વર્લ્ડકપ 2023ની પહેલી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને અને એ પછી શ્રીલંકાને હરાવ્યુ હતું. પરંતુ બીજી મેચમાં પાકિસ્તાને 344 રન આપી દીધા. વર્લ્ડકપ 1992 વિજેતા આકિબે કહ્યુ કે હસન અલીનો જો રેકોર્ડ તપાસમાં આવે તો નવા બોલથી તે અસરકારક રહ્યો નથી.

જો શાહીન શાહ અફરીદી ફોર્મમાં નહીં રહે તો પાકિસ્તાનને મુશ્કેલી આવી શકે. હસને શ્રીલંકા સામેની મેચમાં 10 ઓવરમાં 71 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આકિબે કહ્યુ કે એશિયા કપમાં ભારતીય બેસ્ટમેનો શાહીનની બોલ રમવાથી બચી રહ્યા હતા લ તેનો પ્રભાવ જ એવો છે.પાકિસ્તાનની બોલિંગમાં આની ખોટ પડી રહી છે.

વન-ડે વર્લ્ડકપનું યજમાન પદ ભારતે કર્યું છે અને ટીમ ઇન્ડિયાની શરૂઆત પણ શાનદાર રહી છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડની ટીમને હરાવીને બે મેચ જીતી લીધી છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.