શું WTC ફાઇનલની રેસમાંથી બહાર થઇ શકે છે ભારત? બીજી ટેસ્ટ ધોવાઇ તો..

ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ જીતીને 1-0ની લીડ હાંસલ કરી લીધી છે. ચેન્નાઇમાં જીત હાંસલ કર્યા બાદ ભારતીય ટીમનો ઇરાદો બાંગ્લાદેશને હરાવીને ક્લીન સ્વીપનો હતો. આયાર સુધી આ ટેસ્ટ મેચમાં વરસાદના કારણે 2 દિવસોમાં માત્ર 35 ઓવરની જ રમત થઇ શકી છે. બીજા દિવસે એક ઓવરની પણ રમત ન થઇ શકી. ત્રીજા દિવસના રમત દરમિયાન 50 ટકા વરસાદનું પૂર્વાનુમાન છે. અને 11:00 વાગ્યા સુધીમાં વરસાદના કારણે ચાલુ થઇ શકી નહોતી. એવામાં સવાલ એ ઉઠે છે કે મેચ રદ થવા પર ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં કેટલું નુકસાન થશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. પહેલા 2 દિવસની રમતમાં માત્ર 35 ઓવરની જ મેચ થઇ શકી છે. પહેલા દિવસે ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજા દિવસે વરસાદના કારણે એક પણ ઓવર ન નાખી શકાઇ. ત્રીજા દિવસે બધાની નજર આકાશમાં મંડાઇ રહેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરિઝ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ રમાઇ રહી છે. એવામાં મેચના પરિણામની અસર પોઇન્ટ્સ ટેબલ પર પડવાની.

ભારતને થશે WTC ટેબલમાં કેટલું નુકસાન?

અત્યાર સુધી ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25ના આ ચક્રમાં 10 મેચ રમી છે, જેમાં 7 મેચમાં જીત હાંસલ કરી છે અને 1માં હાર મળી છે. ભારતીય ટીમની બાકી 2 મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમ પાસે 86 પોઇન્ટ્સ અને જીતની ટકાવારી 71.67 પોઇન્ટ્સ છે. બાંગ્લાદેશની વાત કરીએ તો તેની જીતની ટકાવારી 39.29 છે અને તે ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. બાંગ્લાદેશની ટીમે 7 મેચ રમીને 3 મેચ જીતી છે.

આ સમયે ભારત પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર છે અને કાનપુર ટેસ્ટ વરસાદના કારણે ધોવાઇ જાય છે તો તેને 4 પોઇન્ટ્સ મળશે અને 11 ટેસ્ટ બાદ તેની જીતની ટકાવારી 68.18 થઇ જશે. આ મેચ રદ્દ થવાથી ભારતને નુકસાન થશે અને તે બીજા નંબર પર રહેલી ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 62.50ની આસપાસ આવી જશે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.