મહેન્દ્ર સિંહ ધોની IPL 2024 રમશે કે નહીં રમે? પોતે જ અપડેટ જાહેર કર્યું

આગામી IPL 2024માં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કેપ્ટન કુલ એમ. એસ. ધોની રમશે કે નહીં રમશે તે વાત સામે આવી છે. માહીએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પોતાની સર્જરી અને IPL2024 વિશે વાત કરી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં IPL 2023નો ખિતાબ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રેકોર્ડ પાંચમી વખત IPLનો ખિતાબ જીત્યો. પરંતુ શું મહેન્દ્ર સિંહ ધોની આગામી IPLમાં રમશે? જો કે, આ પ્રશ્ન રહે છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ જે સંકેતો આપ્યા છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે ધોની IPL 2024 રમશે. ધોનીએ પોતાની સર્જરી પર અપડેટ આપ્યું છે.

મહૈન્દ્ર સિંહ ધોનીએ પોતાના તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તાજેતરમાં મારી સર્જરી થઇ છે, જો બધું યોગ્ય અને ધારણા મુજબનું રહેશે તો તમે મને IPL 2024માં રમતા જોઇ શકો છો. પરંતુ જો ધારણા મુજબનું નહીં થશે તો તમે હું તમારા લોકો સાથે મેચ જોતો નજરે પડીશ.

જોકે, મહેન્દ્ર સિંહ ધોનીના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે તે IPL 2024માં રમી શકે છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીની ઉંમર લગભગ 42 વર્ષ છે. એવી અટકળો છે કે મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં રમી શકશે નહીં. જો કે કેપ્ટન કૂલ શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.

મહેન્દ્ર સિંહ ધોની IPL ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે. ધોનીના નેતૃતવમાં CSK 5 વખત ટાઇટલ જીત્યું છે. IPLમાં 5 વખત ટાઇટલ જીતનારો ધોની બીજો કેપ્ટન છે. આ પહેલાં આ ખિતાબ રોહિત શર્માના નામે રહી ચૂક્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે રોહિતની કેપ્ટનશીપ હેઠળ 5 વખત ટાઇટલ જીત્યા છે.

જેને લાખો ક્રિક્રેટ ચાહકો માહી તરીકે બોલાવે છે તેવા ધોની ભારતમાં બ્રાન્ડ હોવા છતા લો પ્રોફાઇલ અને સાદગી રીતે જીવવાનું પસંદ કરે છે. જ્યાં એકતરફ સોશિયલ મીડિયા પર કેટલાંક ખેલાડીઓ પ્રચારમાં મશગૂલ રહે છે તેવા સમયે ધોની આ બધી બાબતોથી દુર રહે છે.

ધોની માટે તો એવું પણ કહેવાય છે કે તેને મોબાઇલ પુરી રીતે વાપરતા પણ નથી આપતું. માહી પોતાની સફળતા માટે ક્યારેય વાત કરતો નથી.

ધોની એ દરેક વ્યકિત માટે પ્રેરણા છે જે તમામ સફળતા પછી પણ ડાઉન ટુ અર્થ એટલે કે જમીન સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. ધોનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોકો મને એક સારા માણસ તરીકે ઓળખે ન કે એક સારો ક્રિક્રેટર.

About The Author

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.