આ દિગ્ગજના મતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ જીતી શકે છે વર્લ્ડ કપ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને આશા છે કે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઘરેલુ મેદાનો પર ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતશે. તેણે ઓપનર બેટ્સમેન રોહિત શર્માને આ રમતના મહાન ખેલાડીઓમાંથી એક કરાર આપ્યો. બુધવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માએ 84 બૉલમાં 131 રનોની ઇનિંગ રમી અને આ દરમિયાન રોહિતે કેટલાક રેકોર્ડ તોડ્યા હતા, જેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ સામેલ છે, જે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો. એ સિવાય વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સદી બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

રોહિત શર્મા પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઇના મેદાન પર શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. યુવરાજ સિંહે કહ્યું કે, રોહિત શર્માએ ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે. મને લાગે છે કે તેનામાં એટલી ક્ષમતા છે કે તે કોઈ પણ રેકોર્ડ તોડી શકે છે. તે નિશ્ચિત રૂપે મહાન ખેલાડીઓમાંથી એક છે. તેણે 31 વન-ડે સદી બનાવી છે જે એક મોટી ઉપલબ્ધિ છે. તેનું કામ અત્યારે પૂર્ણ થયું નથી અને આશા છે કે તે કેપ્ટનના રૂપમાં ભારતને વર્લ્ડ કપ જીતાડશે. બીજા ચરણમાં તેણે ઓપનરની ભૂમિકા ભજવી. પહેલા તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો.

તો રોહિત શર્માને લઈને વિરેન્દર સેહવાગે કહ્યું કે, જો હું કેપ્ટન કે સિલેક્ટર હોત તો હું નિશ્ચિત રૂપે રોહિતને વર્ષ 2011ના વર્લ્ડ કપ માટે પસંદ કરતો, પરંતુ અત્યારના અને એ સમયવાળા રોહિત શર્મામાં ખૂબ અંતર છે. તે એટલો અનુભવી નહોતો અને અંતમાં કોઈ ખેલાડીને પસંદ કરવું કેપ્ટન અને સિલેક્ટર્સનો નિર્ણય હોય છે. તમે વર્લ્ડ કપ માટે માત્ર 15 ખેલાડીઓની પસંદગી કરી શકો છો અને એ સમયે, યુસુફ પઠાણે ટૂર્નામેન્ટથી બરાબર પહેલા કેટલીક મહત્ત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી, જે કદાચ તેમના પક્ષમાં કામ કરી ગઈ અને રોહિત શર્માને ડ્રોપ કરવો પડ્યો.

ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં પોતાની પહેલી બે મેચ જીતી ચૂકી છે. ચેન્નાઈમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી દીધી હતી, જ્યારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન વિરુદ્ધ 8 વિકેટે જીત હાંસલ કરી હતી. હવે ભારતીય ટીમ 14 ઓક્ટોબરે પાકિસ્તન વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાની ત્રીજી મેચ રમશે. આ હાઇવોલ્ટેજ મેચ હશે અને એક પ્રકારે વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ કહી શકાય છે કેમ કે મેચ ટિકિટો સિવાય, ફ્લાઇટ ટિકિટ અને હૉટલ મળી રહી નથી. તેના પર યુવરાજે કહ્યું કે, આ બંને ટીમો માટે સારી વાત છે કે આટલા વર્ષો બાદ ભારતમાં મેચ થઈ રહી છે. આશા છે કે આ એક સારી મેચ હશે.’

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.