બાળકો કરતા પેરેન્ટ્સ વધુ બની રહ્યા છે મોબાઈલની લતનો શિકાર

આજના આ ડિજિટલ યુગમાં બાળકો જ નહીં, મોટેરાઓ પણ મોબાઈલના વ્યસની બની રહ્યા છે. એવામાં માતા-પિતાના પણ મોબાઈલમાં વ્યસ્ત રહેવાની વાત સામે આવી છે. એક સર્વે અનુસાર, 70 ટકા માતા-પિતા આ વાતનો સ્વીકાર કરે છે કે, તેઓ જરૂરિયાત કરતા વધુ સમય ઓનલાઈન રહે છે. તેની નકારાત્મક અસર પરિવાર પર પડે છે.

મોટાભાગે લોકો ફરિયાદ કરે છે કે, તેમના બાળકો હદ કરતા વધુ મોબાઈલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ એ તરફ ઓછું ધ્યાન આપે છે કે, ક્યાંક તેમની પાસેથી જ તો બાળકોમાં આ આદત વિકસી નથી રહી ને. હાલમાં જ કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, માતા-પિતા પોતે જ જરૂરિયાત કરતા વધુ સમય ટેકનોલોજી પાછળ વેડફી રહ્યા છે. સંશોધનમાં 72 ટકા માતા-પિતાએ માન્યું છે કે, ઈન્ટરનેટ અને મોબાઈલના વધુ પડતા ઉપયોગની અસર પરિવાર પર પડે છે અને તેમનું સામાન્ય પારિવારિક જીવન પણ તેને કારણે જ બગડી રહ્યું છે.

સર્વે અનુસાર, 70 ટકા માતા-પિતા એ વાત સાથે સહમત છે કે ઈન્ટરનેટ પર સમય પસાર કરવો તેમના માટે વ્યસન બની ગયું છે. જોકે, 51 ટકા લોકો ઈન્ટરનેટ અને મોબાઈલને પોતે જ પોતાના બાળકોની વાતચીતને પ્રભાવિત કરવાની અનુમતિ આપી દે છે. માતા-પિતા પોતાના બાળકોની ઓનલાઈન ગતિવિધોની સાથોસાથ પોતે પણ મોબાઈલ ફોનના પ્રયોગની પોતાની આદતોને અટકાવવાનો પ્રયત્ન નથી કરતા.

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે, માતા-પિતા પોતાના બાળકો પર ઈન્ટરનેટની આદતને લઈને વધુ પડતો વિશ્વાસ કરે છે. 40 ટકા પેરેન્ટ્સને લાગે છે કે, તેમને પોતાના બાળકોની ઓનલાઈન ગતિવિધીઓને નિયંત્રિત કરવાની જરૂર નથી. જોકે, તે ખતરનાક સાબિત થઈ શકે છે.

સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ઈન્ટરનેટ અને ડિજિટલ દુનિયા પર બાળકોને આકર્ષતી સામગ્રી મળે છે. જેને કારણે તેમનું ધ્યાન લાંબા સમય સુધી તેમાં જ રહે છે. એવામાં માતા-પિતાએ એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી બાળકોનું ધ્યાન ઈન્ટરનેટ તરફ ઓછું જાય.

About The Author

Top News

પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ...
Sports 
પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામ હોવા છતાં, રાજદ્વારી યુદ્ધ હજુ પણ ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
National 
ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

(ઉત્કર્ષ પટેલ) દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું. માતાનો પ્રેમ એ...
Opinion 
દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે, પરંતુ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યુદ્ધવિરામની જાહેરાત પર...
National  Politics 
ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.