'તમે ખૂબ સુંદર દેખાવ છો, પણ તમારે ધૂ*મ્રપાન છોડવું પડશે...' એર્દોગને PM મેલોનીને કરી અપીલ

સોમવાર, 13 ઓક્ટોબર, 2025ના રોજ, ગાઝા યુદ્ધનો અંત લાવવા માટે ઇજિપ્તના અલ-શેખ રિસોર્ટમાં એક આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ યોજાઈ હતી. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન, ઇટાલીના PM જ્યોર્જિયા મેલોની, કતારના અમીર, જર્મન ચાન્સેલર અને US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ સાથે, આ પરિષદમાં હાજરી આપી હતી. પરિષદમાં, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનએ મજાકમાં PM મેલોનીને તેની ધૂમ્રપાનની આદત વિશે ટિપ્પણી કરી હતી.

કોન્ફરન્સ દરમિયાન, એર્દોગનએ મજાકમાં PM જ્યોર્જિયા મેલોનીને કહ્યું, 'તમે ખૂબ જ સુંદર દેખાવ છો, પણ મારે તમારી ધૂમ્રપાનની આદત છોડાવવી પડશે.' બંને નેતાઓની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Erdogan-PM-Meloni1
indiatoday.in

વીડિયોમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ નજીકમાં ઉભા રહેલા દેખાય છે, તેઓ એર્દોગનના આ નિવેદન પર જોરથી હાસ્ય અને કહેતા જોવા મળે છે કે, તે અશક્ય છે. આના પર PM મેલોનીએ હસીને જવાબ આપ્યો, 'મને ખબર છે, પણ જો હું ધૂમ્રપાન છોડી દઉં, તો હું કદાચ ઓછી સામાજિક બની જઈશ. હું કોઈને મારવા માંગતી નથી.'

અત્રે ઉલ્લેખનીય છે કે ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ પત્રકારોના લેખોની શ્રેણી પર આધારિત પુસ્તકમાં કહ્યું છે કે, આ ધૂમ્રપાનને કારણે તેમને ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિ કૈસ સૈયદ સહિત વૈશ્વિક નેતાઓ સાથે જોડાવામાં મદદ મળી છે.

Erdogan-PM-Meloni2
secolo-trentino.com

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એર્દોગને આ મજાક ની વચ્ચે એમ પણ કહ્યું હતું કે, તેમનો દેશ તુર્કી, ધૂમ્રપાન મુક્ત ભવિષ્ય તરફ કામ કરી રહ્યો છે. તેથી, તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેઓ લોકોને ધૂમ્રપાન છોડવા માટે પ્રોત્સાહિત કરે છે. ઇઝરાયલી PM બેન્જામિન નેતન્યાહૂ આ પરિષદમાં ગેરહાજર રહ્યા હતા. તેમના કાર્યાલયે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, PM નેતન્યાહૂ આ સંમેલનમાં હાજરી આપી શકશે નહીં.

Erdogan-PM-Meloni3
livehindustan.com

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ પણ ઓનલાઈન સંદેશાઓ મોકલીને તમામ પક્ષોને સંયમ રાખવા અને માનવતાવાદી સહાય વધારવા વિનંતી કરી. ઇજિપ્તના શર્મ અલ-શેખમાં યોજાયેલી બેઠક મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે એક મહત્વપૂર્ણ રાજદ્વારી પ્લેટફોર્મ સાબિત થઈ છે. ઘણા દેશો સંમત થયા છે કે ગાઝામાં કાયમી શાંતિ ફક્ત ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે બધા પક્ષો હિંસા છોડી દે અને વાતચીતનો માર્ગ અપનાવે.

About The Author

Related Posts

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.