BJP મહાસચિવ બોલ્યા- અમારી સરકાર આવશે તો અધિકારીઓને મૂરઘા બનાવીશું

PC: assettype.com

BJPના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યા છે. BJPના પશ્ચિમ બંગાળના પ્રભારીએ કહ્યું કે, બંગાળમાં જો તેમની સરકાર આવશે તો અધિકારીઓને મૂરઘા પકડાવીશું. એક રેલી દરમિયાન તેમણે કહ્યું, ચમચાગીરી, ભ્રષ્ટાચાર અને ભાજપા કાર્યકર્તાઓને હેરાન કરનારા લોકોની લિસ્ટ બની રહી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, ભાજપા કાર્યકર્તાઓએ બંગળી નથી પહેરી રાખી, તેઓ પણ મર્યાદા તોડવાનું જાણે છે.

ભાજપા કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું, તે SPનું શું નામ છે? મુર્ગા હોય કે કંઇ પણ, અમે બનાવી દેશું, અમારી સરકાર આવશે તો. અમે ઘણાં બધા અધિકારીઓની લિસ્ટ બનાવી છે, જેમને અમે મુર્ગા બનાવવાના છે. દરેક અધિકારીઓની સામે ભાજપા સરકાર કાર્યવાહી કરશે.

ભાજપા કાર્યકર્તાઓને હેરાન કરી રહ્યા છે, તેમની લિસ્ટ તૈયાર થઈ રહી છેઃ

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, જ્યારે પશ્ચિમ બંગાળમાં અમારી સરકાર બની જશે, અમારા મુખ્યમંત્રી બની જશે, તો આજે જે અધિકારીઓ ચમચાગીરી કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભાજપા કાર્યકર્તાઓને હેરાન કરી રહ્યા છે. તેમની લિસ્ટ તૈયાર થઈ રહી છે. લિસ્ટ બન્યા બાદ શોલે ફિલ્મનો સંવાદ આવશે- કે હવે તારું શું થશે?

અમે મર્યાદા તોડી પણ શકીએ છેઃ

તેમણે કહ્યું, હું ચેતવણી આપવા માટે આવ્યો છું કે ભાજપા નેતાઓ અને કાર્યકર્તાઓએ બંગળી નથી પહેરી રાખી, અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. અમે ઈમાનદારીથી કામ કરીએ છે. લોકતંત્રમાં વિશ્વાસ રાખીએ છે. તેનો અર્થ એ નથી કે અમને મર્યાદા તોડતા નથી આવડતી. અમે મર્યાદા તોડી પણ શકીએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp