ગુજરાત સરકાર લાભપાંચમથી આ ભાવે મગફળીની ખરીદી કરશે

PC: agrocrops.com

રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તેમને કોઈ નુકશાન ન થાય તેવા હેતુથી રાજ્ય સરકારે વર્તમાન વર્ષે લાભપાંચમથી મગફળીની રૂા.1018 પ્રતિમણના ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ખરીદીની કામગીરી સંભાળશે. રાજ્યમાં 15.50 લાખ હેકટરમાં મગફળીનું વાવતેર થયું છે. જેના કુલ ઉત્પાદનના 25 ટકા લેખે અંદાજે 7.97 લાખ મે.ટન મગફળીની ખરીદીનું લક્ષ્યાંક છે.

રાજ્યના 29 જિલ્લાઓમાં કુલ 124 એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્ર ખાતેથી ખરીદી કરવામાં આવશે. આ માટે ખેડૂતોની નોંધણી તા.1/10/2019 થી તા.31/10/2019 સુધી ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર તથા એપીએમસી ખાતે કરવામાં આવશે. આ ખરીદી તા.1/11/2019 થી કુલ 90 દિવસ સુધી કરવામાં આવશે. ખેડૂતોના વેચાણના નાણા તેમના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે. જેના પરિણામે લાખો ખેડૂતોને લાભ થશે તેમ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp