એવું કેમ થશે કે રૂપાલા- માંડવિયાને પોતાનો મત પોતાને નહીં આપી શકે

PC: theprint.in

ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાવવાની છે અને મતદાન 7 મે 2024ના દિવસે થવાનું છે. પણ ગુજરાતના 3 ઉમેદવારો એવા છે જેઓ પોતાનો મત આપી શકશે નહીં.

અમરેલીના વતની પરષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે એટલે તેઓ અમરેલીમાં પોતાના મત પોતાના ઉમેદવારને નહીં આપી શકે. એ જ રીતે ભાવનગરના વતની મનસુખ માંડવિયા પોરબંદરમાં ભાજપના ઉમેદવાર છે, તેઓ પણ ભાવનગરમાં મત આપી શકશે નહીં. કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી અમરેલીના વતની છે, તેઓ પણ પોતાનો મત પોતાના ઉમેદવારને નહીં આપી શકે.

પરષોત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે. તેમના એક નિવેદનને કારણે ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો નારાજ થયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp