ધ કપિલ શર્મા શોમાં વાપસી કરી શકે છે સુનીલ ગ્રોવર, કર્યું આ ટ્ટિવ
કોમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવર કપિલ શર્મા શોથી ઘર-ઘરમાં જાણીતો બની ગયો હતો. તેનું ગુથ્થી અને ડૉક્ટર ગુલાટીનું પાત્ર હજુ પણ લોકોને યાદ છે. પણ તેના અને કપિલ વચ્ચે થયેલા વિવાદને કારણે સુનીલે કપિલનો શો છોડી દીધો હતો.
હવે સુનીલ ગ્રોવરે એક ટ્વીટ કર્યું છે, તેના પરથી લોકો એવો અંદાજો લગાવી રહ્યા છે કે, તે કપિલના શોમાં ફરી વાપસી કરી શકે છે.
Perception is not reality. It can be stronger. But it’s not the truth. And the truth prevails. The truth is it’s just timepass what I am saying.
— Sunil Grover (@WhoSunilGrover) August 20, 2019
View this post on InstagramSee you Dubai on the 17th Aug. ❤️
A post shared by Sunil Grover (@whosunilgrover) on
સુનીલે પોતાના ટ્વિટમાં લખ્યું, બધું જ પાછું આવવાનું છે. કંઈ પણ હંમેશાં માટે સ્થિર રહેતું નથી. માટે આભાર વ્યક્ત કરો. કારણ કે એ જ સાચો માર્ગ છે અને ખૂબ હસો. બાકી...મારો પતિ મને... સુનીલ ગ્રોવરના આ ટ્વિટ પછી ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે, તે ફરી એકવાર કપિલના શોમાં વાપસી કરી શકે છે.
Everything is going to come. Nothing is going to stay forever . So Just have gratitude. That is the key. And yes, laugh a lot. 🙏 baaki ... mere husband mujhko...
— Sunil Grover (@WhoSunilGrover) September 15, 2019
View this post on InstagramWhat a terrific performance she gave in BhArat. With Madam Sir @katrinakaif
A post shared by Sunil Grover (@whosunilgrover) on
સુનીલ ગ્રોવર જેટલો સારો કોમેડિયન છે એટલો જ સારો કલાકાર પણ છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. છેલ્લે તે સલમાન-કેટરીના સ્ટારર 'ભારત'માં જોવા મળ્યો હતો. તો એ પહેલા તેણે ટાઈગર-શ્રદ્ધા સ્ટારર 'બાગી'માં શ્રદ્ધાના પિતાનું પાત્ર ભજવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp