શિવસેના નેતા સંજય રાઉત બોલ્યા- અમિત શાહ કટ્ટર રાષ્ટ્રવાદી છે પણ..

PC: tosshub.com

શિવસેના નેતા સંજય રાઉતે ગૃહમંત્રી અમિત શાહને કટ્ટર રાષ્ટ્રવાદી ગણાવ્યા છે. શિવસેના નેતા સંજય રાઉતે એક કાર્યક્રમમાં કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કટ્ટર રાષ્ટ્રવાદી છે, પણ તેમણે એ તથ્ય પણ સમજવું જોઈએ કે દેશમાં લોકતંત્ર છે.

પ્રધાનમંત્રી મોદી વિશે તેમણે કહ્યું તે, PM મોદી ઘણાં મહેનતુ વ્યક્તિ છે. તેમને સલાહ આપવાનો મને અધિકાર નથી. તેઓ પ્રધાનમંત્રી છે. પણ પત્રકારના નાતે હું કહીશ કે તેમણે તેમની સાથે કામ કરી રહેલા વ્યક્તિઓ વચ્ચે શું ચાલી રહ્યું છે, તેની ખબર રાખવી જોઈએ.

જ્યારે અમતિ શાહ બાબતે બોલવાનું આવ્યું તો સંજય રાઉતે કહ્યું કે, ભાજપા નેતા ક્ટ્ટર રાષ્ટ્રવાદી છે અને ધારા 370 હટાવવા જેવા તેમના અમુક નિર્ણયો સ્વાગત યોગ્ય છે. પણ અમુક મામલાઓમાં તેમણે સ્વીકાર કરવો જોઈએ કે દેશમાં લોકતંત્ર છે અને તેમણે વિપક્ષના વિચારોને સમજવું જોઈએ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાબતે રાઉતે કહ્યું કે, તેઓ દિલના સારા છે, પણ તેમણે ઓછામાં ઓછા 15 કલાક પાર્ટી ઓફિસમાં પસાર કરવા જોઈએ.

જણાવી દઈએ કે, આ વાત શિવસેના નેતા સંજય રાઉતે એક મીડિયા સમૂહ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કરી હતી. લોકો સાથેના સવાલ-જવાબમાં તેમણે અમુક લોકપ્રિય નેતાઓના ગુણ વિશે વાત કરી હતી. અને સાથે જ અમુક સલાહ પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp