અયોધ્યામાં જમીનના ભાવ ઉછળી ગયા, મુંબઇના બિલ્ડરોના ધામા

PC: wikipedia.org

અયોધ્યામાં રામ મંદિર બનાવાને કારણે જમીનના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. મુંબઇના મોટા મોટા બિલ્ડર્સ અત્યારે ત્યાં ધામા નાંખ્યા છે. બધા બિલ્ડર્સને ખબર હતી કે અયોધ્યામાં જમીનના ભાવ વધશે એટલે તેમણે 3 મહિના પહેલાંથી જ મોટા પાયે જમીનો ખરીદી લીધી હતી.

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચને પણ રામ મંદિરથી માત્ર 10 મિનિટના અંતરે પ્લોટ ખરીદ્યો છે. 14.5 કરોડ રૂપિયામાં 10,000 સ્કવેર ફુટનો પ્લોટ ખરીદ્યો છે. મુંબઇના બિલ્ડર્સમાં હિરાનંદાની ગ્રુપ, ગોદરેજ પ્રોપર્ટી, રેમન્ડ રિઅલટી, ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા, રનવાલ ગ્રુપ, કે, રાહેજા ગ્રુપે અયોધ્યામાં ધામા નાંખ્યા છે.

જે જમીનના ભાવ 1,000થી 2,000 રૂપિયા ભાવ ચાલતો હતો તેના 4થી 6 હજાર થઇ ગયા છે અને રામ મંદિરની આજુબાજુની જમીનના ભાવ 3,000 ચાલતા હતા તેના સીધા 10થી 15000 પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp