ગુજરાતમાં કોંગ્રેસ સાથે દુષ્કાળ ગયો ઝાડુવાળાને લીલા તોરણે વળાવી દેજોઃ અમિત શાહ

PC: twitter.com

તળાજા વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણના સમર્થનમાં આજે શનિવારે ગૃહમંત્રી અમિત શાહની જનસભા યોજાઈ હતી. તેઓએ જણાવ્યું કે, ભારતીય સેના અને સીમા સાથે કોઈ છેડખાની કરી શકતુ નથી. પાકિસ્તાન સામે સર્જીકલ અને એર સ્ટ્રાઈક કરી દેખાડી દીધું છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાંથી કોંગ્રેસ ગઈ અને પધારત ભરતામાં ભા વાળાને લીલા તોરણે ગુજરાતમાંથી વળાવી દેવાની વાત કરી હતી.

તેમણે કહ્યું કે, સૌથી વધુ રૂ, દૂધ, લઘુ ઉદ્યોગ, ઇન્વેસ્ટમેન્ટ,મેન્યુફેક્ચર ઇન્ડેક્ષ ગુજરાતમાં ભાજપ સરકારે આપ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પર શાબ્દિક પ્રહારો અને ભાજપના વિકાસની વાત કરી હતી. તળાજાની ભૂમિ નરસિંહ મહેતા અને 8 મી શતાબ્દીના રાજવી વીર એભલજી જે ગોપનાથ મહાદેવ, જૈન તીર્થ, સ્વામી નારાયણ મંદિરને પ્રણામ કર્યા હતા.

તેમણે ગુજરાતનું ભવિષ્ય વિચારી મત આપવા અને અહીથી ગૌતમ ચૌહાણને જંગી બહુમતીથી જીત અપાવવા અપીલ કરી હતી. ભાજપ ઉમેદવાર ગૌતમ ચૌહાણે ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ નું સંચાલન દિગુભા ગોહિલે અને આભાર વિધિ તાલુકા ભાજપ અધ્યક્ષ જોરુભાઇ એ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp