1 જૂનથી અમદાવાદથી આ 10 સ્પેશિયલ ટ્રેનો ચાલશે

PC: Khabarchhe.com

કોરોના વાયરસ લોકડાઉનને કારણે દેશમાં એકબાજુ જ્યાં નિયમિત ટ્રેનોનું સંચાલન બંધ છે ત્યારે રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની અનુમતી આપવામાં આવી છે. આજ ક્રમમાં 12 મે 2020થી સાબરમતીથી નવી દિલ્લી માટે સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે તથા અમદાવાદ મંડળ દ્વારા નવ જોડી ટ્રેનોનું સંચાલન 01 જૂનથી કરવામાં આવશે.

મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાના અનુસાર 01 જૂન 2020થી અમદાવાદ સ્ટેશનથી કુલ 10 જોડી ટ્રેનો નું સંચાલન કરવામાં આવશે. જેમાં વર્તમાનમાં સાબરમતીથી ચાલી રહેલી ટ્રેન સંખ્યા 02957/02958 સાબરમતી-નવી દિલ્હી એસી સ્પેશિયલને 01 જૂનથી અમદાવાદ સ્ટેશનથી નવી દિલ્લી માટે ચલાવામાં આવશે તથા આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી સ્ટેશન પર ઉભી નહી રહે. જેમણે આ ટ્રેન ની ટિકિટ સાબરમતી સ્ટેશનથી લીધી છે તેઓએ ટ્રેનમાં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન આવવું પડશે. રેલ પ્રશાસન દ્વારા આ સૂચના યાત્રીઓને બલ્ક એસએમએસ દ્વારા પણ આપવામાં આવી રહી છે.આના સિવાય વર્તમાનમાં સ્પેશિયલ ના રૂપમાં 01 જૂનથી ચલાવામાં આવનાર કોઈ પણ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર સ્ટોપેજ નહિ હોય.

01 જૂન 2020થી અમદાવાદ સ્ટેશનથી ચાલવા વાળી સ્પેશિયલ ટ્રેનો નિમ્નાનુસાર છે

ટ્રેન સંખ્યા 09083/09084 અમદાવાદ-મુજ્જફરપુર તથા 09089/09090 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ વાયા સુરત થઈને ચાલશે.

ઉપરોક્ત ટ્રેનોના યાત્રીઓને ભારત સરકાર ના હેલ્થ પ્રોટોકોલને જોતા પોતાની ટ્રેનના નિર્ધારિત સમય કરતાં ડોઢ કલાક પહેલા સ્ટેશન પર પહોંચવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp