પાક.માં 14 વર્ષની હિંદુ બાળકીને ઉઠાવીને લઈ ગયો 4 બાળકોનો પિતા, કર્યો બળાત્કાર

PC: twimg.com

પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારનો વધુ એક મામલો સામે આવ્યો છે. અકાલી દળ નેતા મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે, ગુરુવારે 14 વર્ષની એક હિંદુ છોકરીનું અલી રઝા નામના વ્યક્તિએ અપહરણ કરી લીધું હતું. મનજિંદર સિંહ સિરસાએ દીકરીના પિતાનો વીડિયો પરણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કહ્યું કે, બાળકીનું અપહરણ કરનાર અલી રઝાની 2 પત્નીઓ અને 4 બાળકો છે.

મનજિંદર સિંહ સિરસાએ એવું પણ જણાવ્યું હતું કે, બાળકીનું અપહરણ કરનારા લોકો હવે બાળકીના પરિવારને કહી રહ્યા છે કે, તેમની બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. મનજિંદર સિંહ સિરસાએ બાળકીના પિતાનો જે વીડિયો જાહેર કર્યો છે, તેમાં પિતા સ્થાનિક પોલીસને પોતાની બાળકીને શોધવા માટે અપીલ કરી રહ્યા છે.

મનજિંદર સિંહ સિરસાએ ગૃહ મંત્રી અમિત શાહને અપીલ કરી છે કે, પાકિસ્તાનમાં હિંદુ અને શીખ બાળકીઓની સાથે થઈ રહેલી બળજબરી વિરુદ્ધ ભારત સરકારે પગલાં લેવા જોઈએ. સિરસાએ વધુ એક ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, ગુરુવારે પાકિસ્તાનના જેકબાબાદમાં વાજિત નામના વ્યક્તિએ એક 16 વર્ષની હિંદુ છોકરીનું અપહરણ કર્યું છે. ગુરુવારની રાત્રે પણ સિરસાની એક અન્ય ઘટનામાં 2 હિંદુ બાળકીઓના અપહરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, બંને બાળકીના પરિવારજનો ન્યાય માટે પાકિસ્તાનમાં રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં હિંદુ, શીખ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયના લોકો પર અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે અને ભારત સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશમાંથી ભારત આવેલા અલ્પસંખ્યક સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવા માટે નાગરિકતા કાયદો લાગૂ કર્યો છે, પરંતુ દેશમાં ઘણી જગ્યાઓ પર આ નાગરિકતા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp