હવે નીલગાય પણ વિધાનસભા સુધી પહોંચવા લાગી, સંખ્યા ઘણી વધી ગઇ

ખેતરોમાં ખેડૂતો અને માર્ગોમાં વાહનચાલકો માટે ખતરારૂપ એવી નીલગાયની વસતીમાં ચોંકાવનારો વધારો થતો જાય છે. છેલ્લા સર્વે પ્રમાણે રાજ્યભરમાં નીલગાયની વસતી 2.70 લાખ જોવા મળી છે. એકલા અમદાવાદ જિલ્લામાં 10000 અને ગાંધીનગર જિલ્લામાં 3500થી વધુ નીલગાય જોવામાં આવી છે.

નીલગાયના આતંક સામે વિધાનસભામાં રાજ્યના ધારાસભ્યો અવાર નવાર રજૂઆત કરતા હોય છે અને તેને મારવાની માગણી કરતા હોય છે. ગાંધીનગરમાં નીલગાયની એટલી બઘી વસતી થઇ છે કે હવે તે સેક્ટરોમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહી છે. રાજ્યના વન વિભાગે ગાંધીનગરની નીલગાયોને સાસણ ગીરમાં ખસેડવાનો નિર્ણય કર્યો હોવા છતાં પરિસ્થિતિ થાળે પડતી નથી.

સરકારે એવું નક્કી કર્યું હતું કે સાસણ ગીરમાં સિંહોની વધતી જતી વસતીના કારણે તેને ખોરાક મળી રહે તે માટે નીલગાય કે જે તૃણાહારી પ્રાણી છે તેને ગીરમાં ખસેડવામાં આવશે. પ્રાયોગિક ધોરણે 10 થી 12 નિલગાયને પકડીને સાસણ ગીરમાં છોડવામાં પણ આવી હતી. જો કે ત્યારપછી નીલગાયને સાસણ મોકલવામાં આવી નથી તેથી ગાંધીનગરમાં ઉપદ્રવ વધી રહ્યો છે.

ગાંધીનગરના વીઆઇપી એવા જ-માર્ગ પર નીલગાયના ટોળાં અવાર નવાર આવી જતાં હોવાથી અકસ્માતો સર્જાય છે. આ માર્ગ પર સરકારી ગાડીઓની રફતાર વધું હોવાથી માર્ગ પર નીલગાયથી સાવચેત રહેવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આમ છતાં નીલગાયના પ્રભાવથી પ્રતિમાસ  એક-બે અકસ્માત થાય છે.

2011માં રાજ્યમાં નીલગાયની વસતી 1.19 લાખ હતી જે 2015માં 1.86 થઇ હતી અને છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે તેની વસતી 2.70 લાખ થવા જાય છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશનના સર્વે પ્રમાણે અમદાવાદ જિલ્લામાં 10,000 અને ગાંધીનગર જિલ્લામાં 3500 નીલગાય જોવા મળી છે. એ ઉપરાંત પાટણમાં 20000 અને અમરેલીમાં 18000 નીલગાય જોવા મળી છે.

એ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં નિલગાયની વસતી એક લાખથી વધુ જોવા મળે છે. આ એક સંરક્ષિત પ્રજાતિ છે પરંતુ તે ખેડૂતો માટે ખતરો છે. ખેતરમાં ભેલાણ કરી પાકનો નાશ કરે છે. માર્ગો પર વચ્ચે આવી વાહનચાલકો સાથે ટકરાય છે અને અકસ્માત કરે છે. વન્યજીવ અધિનિયમ પ્રમાણે તેને અનુસૂચિ-3માં સમાવિષ્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તો નીલગાયના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ ખેતરની ફરતે ઇલેક્ટ્રિક વાડ સ્થાપિત કરી છે.

About The Author

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.