હવે નીલગાય પણ વિધાનસભા સુધી પહોંચવા લાગી, સંખ્યા ઘણી વધી ગઇ

ખેતરોમાં ખેડૂતો અને માર્ગોમાં વાહનચાલકો માટે ખતરારૂપ એવી નીલગાયની વસતીમાં ચોંકાવનારો વધારો થતો જાય છે. છેલ્લા સર્વે પ્રમાણે રાજ્યભરમાં નીલગાયની વસતી 2.70 લાખ જોવા મળી છે. એકલા અમદાવાદ જિલ્લામાં 10000 અને ગાંધીનગર જિલ્લામાં 3500થી વધુ નીલગાય જોવામાં આવી છે.

નીલગાયના આતંક સામે વિધાનસભામાં રાજ્યના ધારાસભ્યો અવાર નવાર રજૂઆત કરતા હોય છે અને તેને મારવાની માગણી કરતા હોય છે. ગાંધીનગરમાં નીલગાયની એટલી બઘી વસતી થઇ છે કે હવે તે સેક્ટરોમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહી છે. રાજ્યના વન વિભાગે ગાંધીનગરની નીલગાયોને સાસણ ગીરમાં ખસેડવાનો નિર્ણય કર્યો હોવા છતાં પરિસ્થિતિ થાળે પડતી નથી.

સરકારે એવું નક્કી કર્યું હતું કે સાસણ ગીરમાં સિંહોની વધતી જતી વસતીના કારણે તેને ખોરાક મળી રહે તે માટે નીલગાય કે જે તૃણાહારી પ્રાણી છે તેને ગીરમાં ખસેડવામાં આવશે. પ્રાયોગિક ધોરણે 10 થી 12 નિલગાયને પકડીને સાસણ ગીરમાં છોડવામાં પણ આવી હતી. જો કે ત્યારપછી નીલગાયને સાસણ મોકલવામાં આવી નથી તેથી ગાંધીનગરમાં ઉપદ્રવ વધી રહ્યો છે.

ગાંધીનગરના વીઆઇપી એવા જ-માર્ગ પર નીલગાયના ટોળાં અવાર નવાર આવી જતાં હોવાથી અકસ્માતો સર્જાય છે. આ માર્ગ પર સરકારી ગાડીઓની રફતાર વધું હોવાથી માર્ગ પર નીલગાયથી સાવચેત રહેવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આમ છતાં નીલગાયના પ્રભાવથી પ્રતિમાસ  એક-બે અકસ્માત થાય છે.

2011માં રાજ્યમાં નીલગાયની વસતી 1.19 લાખ હતી જે 2015માં 1.86 થઇ હતી અને છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે તેની વસતી 2.70 લાખ થવા જાય છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશનના સર્વે પ્રમાણે અમદાવાદ જિલ્લામાં 10,000 અને ગાંધીનગર જિલ્લામાં 3500 નીલગાય જોવા મળી છે. એ ઉપરાંત પાટણમાં 20000 અને અમરેલીમાં 18000 નીલગાય જોવા મળી છે.

એ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં નિલગાયની વસતી એક લાખથી વધુ જોવા મળે છે. આ એક સંરક્ષિત પ્રજાતિ છે પરંતુ તે ખેડૂતો માટે ખતરો છે. ખેતરમાં ભેલાણ કરી પાકનો નાશ કરે છે. માર્ગો પર વચ્ચે આવી વાહનચાલકો સાથે ટકરાય છે અને અકસ્માત કરે છે. વન્યજીવ અધિનિયમ પ્રમાણે તેને અનુસૂચિ-3માં સમાવિષ્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તો નીલગાયના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ ખેતરની ફરતે ઇલેક્ટ્રિક વાડ સ્થાપિત કરી છે.

About The Author

Related Posts

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.