હવે નીલગાય પણ વિધાનસભા સુધી પહોંચવા લાગી, સંખ્યા ઘણી વધી ગઇ

ખેતરોમાં ખેડૂતો અને માર્ગોમાં વાહનચાલકો માટે ખતરારૂપ એવી નીલગાયની વસતીમાં ચોંકાવનારો વધારો થતો જાય છે. છેલ્લા સર્વે પ્રમાણે રાજ્યભરમાં નીલગાયની વસતી 2.70 લાખ જોવા મળી છે. એકલા અમદાવાદ જિલ્લામાં 10000 અને ગાંધીનગર જિલ્લામાં 3500થી વધુ નીલગાય જોવામાં આવી છે.

નીલગાયના આતંક સામે વિધાનસભામાં રાજ્યના ધારાસભ્યો અવાર નવાર રજૂઆત કરતા હોય છે અને તેને મારવાની માગણી કરતા હોય છે. ગાંધીનગરમાં નીલગાયની એટલી બઘી વસતી થઇ છે કે હવે તે સેક્ટરોમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહી છે. રાજ્યના વન વિભાગે ગાંધીનગરની નીલગાયોને સાસણ ગીરમાં ખસેડવાનો નિર્ણય કર્યો હોવા છતાં પરિસ્થિતિ થાળે પડતી નથી.

સરકારે એવું નક્કી કર્યું હતું કે સાસણ ગીરમાં સિંહોની વધતી જતી વસતીના કારણે તેને ખોરાક મળી રહે તે માટે નીલગાય કે જે તૃણાહારી પ્રાણી છે તેને ગીરમાં ખસેડવામાં આવશે. પ્રાયોગિક ધોરણે 10 થી 12 નિલગાયને પકડીને સાસણ ગીરમાં છોડવામાં પણ આવી હતી. જો કે ત્યારપછી નીલગાયને સાસણ મોકલવામાં આવી નથી તેથી ગાંધીનગરમાં ઉપદ્રવ વધી રહ્યો છે.

ગાંધીનગરના વીઆઇપી એવા જ-માર્ગ પર નીલગાયના ટોળાં અવાર નવાર આવી જતાં હોવાથી અકસ્માતો સર્જાય છે. આ માર્ગ પર સરકારી ગાડીઓની રફતાર વધું હોવાથી માર્ગ પર નીલગાયથી સાવચેત રહેવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આમ છતાં નીલગાયના પ્રભાવથી પ્રતિમાસ  એક-બે અકસ્માત થાય છે.

2011માં રાજ્યમાં નીલગાયની વસતી 1.19 લાખ હતી જે 2015માં 1.86 થઇ હતી અને છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે તેની વસતી 2.70 લાખ થવા જાય છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશનના સર્વે પ્રમાણે અમદાવાદ જિલ્લામાં 10,000 અને ગાંધીનગર જિલ્લામાં 3500 નીલગાય જોવા મળી છે. એ ઉપરાંત પાટણમાં 20000 અને અમરેલીમાં 18000 નીલગાય જોવા મળી છે.

એ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં નિલગાયની વસતી એક લાખથી વધુ જોવા મળે છે. આ એક સંરક્ષિત પ્રજાતિ છે પરંતુ તે ખેડૂતો માટે ખતરો છે. ખેતરમાં ભેલાણ કરી પાકનો નાશ કરે છે. માર્ગો પર વચ્ચે આવી વાહનચાલકો સાથે ટકરાય છે અને અકસ્માત કરે છે. વન્યજીવ અધિનિયમ પ્રમાણે તેને અનુસૂચિ-3માં સમાવિષ્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તો નીલગાયના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ ખેતરની ફરતે ઇલેક્ટ્રિક વાડ સ્થાપિત કરી છે.

Related Posts

Top News

'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
Tech and Auto 
'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
World 
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
Gujarat 
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Sports 
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.