વૈભવી જીવન અને સત્તાના મદમાં રાચતા રાજનેતાઓ પ્રજાનું દુઃખ નહીં સમજી શકે

ભારત આપણો કૃષિપ્રધાન દેશ છે. અહીં રાજા-રજવાડાઓ પાસે શ્રીમંતાઈ હતી અને આજે ઉદ્યોગકારો, કરપ્ટ સરકારી બાબુઓ અને રાજકારણીઓ પાસે ધન-વૈભવ છે!

વાત કરીશું રાજનેતાઓની, જેમણે પ્રજાની સેવા કરવાના બહાને નામના અને ધન-વૈભવ ભેગું કર્યું છે. અહીં અપવાદરૂપ સમાજસેવકો પણ છે, જેઓ રાજકારણમાં માત્ર સેવાભાવના હેતુથી જ સક્રિય છે. પણ એવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. મોટા ભાગના નેતાઓ માટે રાજકારણ એક વ્યવસાય બની ગયો છે – એક એવો વ્યવસાય જેમાં રોકાણ ઓછું અને નફો અનેકગણો થાય છે.

તમે ક્યારેય વિચાર્યું છે કે આ રાજકારણીઓ વેપાર-ધંધો કરતા નથી, પોતાના વ્યવસાય પર ધ્યાન આપી શકતા નથી, છતાં તેમની અને તેમના પરિવારના સદસ્યોની આવક કેમ કરતા વધી જતી હોય છે? ચૂંટણી લડવા માટે કરોડો-અબજો રૂપિયાની જરૂર પડે છે, પણ જીત્યા પછી તેમની સંપત્તિમાં જે વધારો થાય છે તેનો સ્ત્રોત શું છે? કાળા નાણાં, કોન્ટ્રાક્ટોના કમિશન, બેનામી સંપત્તિ, જમીનના સોદા, લાઇસન્સ-પરમિટના નામે લેવાતા લાભ – આ બધું જાણીતું છે, પણ કોઈ રોકી શકતું નથી.

02

ધન-વૈભવ અને સત્તા જેમ જેમ વધતી જાય એમ એમ આ રાજનેતાઓ સ્વકેન્દ્રિત થતા જાય છે. તેઓની પ્રાથમિકતા પોતાના પરિવાર, પોતાના સંબંધીઓ અને પોતાના ગઠબંધીઓના હિતો બની જાય છે. પ્રજાનું દુઃખ, તેમની લાગણીઓ અને તેમના પ્રત્યેની અપેક્ષાઓની અવગણના થતી જાય છે. ગરીબી, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા, યુવાનોની હતાશા – આ બધું તેમના માટે માત્ર આંકડા બની જાય છે, જેને ભાષણમાં ઉચ્ચારીને તાળીઓ મેળવી લેવી હોય તો બસ.

આજે આપણી સૌથી મોટી કરુણતા એ છે કે સત્તાના મદમાં રાચતા રાજનેતાઓ સાથે ફોટા પડાવવા અને તેમની જાહોજલાલીની વાતો કરવામાં લોકોને ગર્વ અનુભવાય છે! સોશિયલ મીડિયા પર તેમના લક્ઝરી જીવનના ફોટા વાયરલ થાય છે અને લોકો કહે છે, “આવા નેતા જોઈએ!” પણ આ નેતાઓની લક્ઝરી ક્યાંથી આવે છે? તમારા અને મારા ટેક્સના પૈસાથી, તમારા વોટથી મળેલી સત્તાનો દુરુપયોગ કરીને.

03

આપણે એ સમજ કેળવવાની જરૂર છે કે આપણે ચૂંટેલા નેતાઓ આપણી સેવા કરવા માટે છે નહીં કે આપણા પર રાજ કરવા માટે. તેઓ આપણા નોકર છે, આપણા માલિક નથી. પણ જ્યાં સુધી આપણે પોતે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી આ ચક્ર ચાલુ રહેશે. આપણે નેતાઓની સંપત્તિના સ્ત્રોત પર સવાલ ઉઠાવવા જોઈએ, તેમના જીવનધોરણ પર પ્રશ્ન કરવા જોઈએ અને ખરેખર સેવાભાવી લોકોને જ પસંદ કરવા જોઈએ.

જો આપણે મતદાનના સમયે પણ જાતિ, ધર્મ, નાણાં કે સ્થાનિક પ્રભાવને બદલે નેતાના કામ, નિષ્ઠા અને સાદગીને પ્રાધાન્ય આપીશું, તો જ સાચા અર્થમાં લોકશાહી મજબૂત બનશે. નહીં તો આ વૈભવી રાજકારણીઓનું રાજ અને પ્રજાનું દુઃખ ચાલુ જ રહેશે.

દેશની લોકશાહી અને આવનારી પેઢીના હિતમાં થોડું વિચારજો કે શું યોગ્ય અને શું અયોગ્ય.

About The Author

Top News

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.