નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય સંકટ જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા ઓછી છે. 2025ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા ફિલિપ એઘિયને આ મહત્વનું નિવેદન આપ્યું છે.

RTL રેડિયો સાથેની વાતચીતમાં એઘિયને જણાવ્યું હતું કે, જો આ યુદ્ધ થોડા અઠવાડિયા કરતા વધુ સમય સુધી ચાલે અને તેલના ભાવ પ્રતિ બેરલ $150 થી વધી જાય, તો વિશ્વમાં 1973 જેવો 'ઓઈલ શોક' જોવા મળી શકે છે. તેમણે કહ્યું- ઓક્ટોબર 1973ના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલને ટેકો આપતા દેશો વિરુદ્ધ આરબ ઓપેક (OPEC) સભ્યોએ તેલ પર પ્રતિબંધ લાદ્યો હતો, જેના કારણે ફુગાવો વધ્યો હતો અને આર્થિક સ્થગિતતા આવી હતી.

03

તેમણે કહ્યું- સંકલિત નીતિની જરૂરિયાત: એઘિયનના મતે, જો આવી સ્થિતિ સર્જાય તો યુરોપિયન દેશો, યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય વિકસિત દેશોએ સાથે મળીને નીતિવિષયક નિર્ણયો લેવા પડશે.

'ક્રિએટિવ ડિસ્ટ્રક્શન' દ્વારા ટકાઉ વિકાસ પર કામ કરવા બદલ નોબેલ મેળવનાર એઘિયને સ્પષ્ટ કર્યું હતું કે લાંબો સમય ચાલતો અને વિસ્તરતો સંઘર્ષ ચોક્કસપણે વૈશ્વિક વિકાસને ધીમો પાડશે. હું આર્થિક મંદીની શક્યતા જોઉં છું, પરંતુ અર્થતંત્ર સંપૂર્ણપણે તૂટી પડે તેવી સ્થિતિ જોતો નથી. ઉદાહરણ તરીકે, 2008ની નાણાકીય કટોકટી જેવું કશું જ અત્યારે દેખાઈ રહ્યું નથી.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.