આટલું કર્યા પછી પણ BCCI વૈભવ સૂર્યવંશીને ટીમમાં તક નહીં આપી શકે! નડશે ICCનો આ નિયમ

હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલ રમાઈ ગયા પછી ભલે સમય વીતી ગયો હોય, તેમ છતાં વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગ્સના પડઘા હજુ પણ સમગ્ર ક્રિકેટ જગતમાં ગુંજી રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ફાઇનલમાં વૈભવે 80 બોલમાં 175 રન બનાવ્યા. આ માત્ર એક ઇનિંગ્સ જ નહીં, પણ તેણે એક રેકોર્ડબુક જ કબ્જે કરી લીધી હતી. 15 છગ્ગા, જબરદસ્ત સ્ટ્રાઇક રેટ અને એક એવી રમત જેણે ફાઇનલ જેવી મોટી મેચને પણ એકતરફી મેચમાં ફેરવી દીધી.

બિહારના આ 14 વર્ષના બેટ્સમેનને જોનારા દરેક ચાહકના મનમાં એક જ પ્રશ્ન છે, જો વૈભવ ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ યુવા બોલરોને નષ્ટ કરી શકે છે અને IPLમાં સદી પણ ફટકારી શકે છે, તો તે સિનિયર ભારતીય ટીમમાં કેમ નથી? આ પ્રશ્નનો એક જ જવાબ છે, ICCના અમુક નિયમો.

Vaibhav Suryavanshi
hindi.oneindia.com

વૈભવ સૂર્યવંશી સામે સૌથી મોટો અવરોધ છે ICCનો લઘુત્તમ વય (ઓછામાં ઓછી ઉંમરનો) નિયમ. 2020માં લાગુ કરવામાં આવેલા આ નિયમ હેઠળ, કોઈપણ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ઓછામાં ઓછું ૧૫ વર્ષનો હોવો જોઈએ. આ નિયમ ખેલાડીઓની શારીરિક અને માનસિક સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો.

વૈભવનો જન્મ 27 માર્ચ, 2011ના રોજ થયો હતો. ફેબ્રુઆરી 2026માં તેણે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે ટેકનિકલી હજુ 14 વર્ષનો જ હતો.

આનો અર્થ એ થયો કે, ભલે તે બિહાર માટે 36 બોલમાં સદી ફટકારે કે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે બોલરોની ખરાબ રીતે ધોલાઈ કરે, 27 માર્ચ, 2026 પહેલા સિનિયર ટીમમાં પસંદગી શક્ય નથી.

Vaibhav Suryavanshi
hindi.cricketaddictor.com

અહીં એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે વૈભવ હજુ સિનિયર ટીમ માટે ખૂબ નાનો છે, પરંતુ તે હવે અંડર-19 ટીમ માટે પણ ફરી વખત નહીં રમી શકે.

BCCIનો કડક નિયમ છે કે, ખેલાડી અંડર-19 વર્લ્ડ કપમાં ફક્ત એક જ વાર રમી શકે છે. આ નિયમનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, દરેક ટુર્નામેન્ટમાં નવા ખેલાડીઓને તક મળે અને કોઈપણ ખેલાડી તેમના વય જૂથ માટે 'સ્પેશિયલ' ન બની જાય.

2026ના અંડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે નામાંકિત થયા પછી, વૈભવ 2028 કે 2030ના અંડર-19 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં, પછી ભલે તે ઉંમર પ્રમાણે હજુ પણ અંડર-19 ખેલાડી હોય.

Vaibhav Suryavanshi
ndtv.in

વૈભવ સૂર્યવંશીએ છેલ્લા 12 મહિનામાં બનાવેલા રેકોર્ડ તેના ધ્યાનનું વાસ્તવિક કારણ છે: અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 80 બોલમાં 175 રન. 2026ના વર્લ્ડ કપમાં 30 છગ્ગા- એક નવો ટુર્નામેન્ટ રેકોર્ડ. 14 વર્ષ અને 272 દિવસની ઉંમરે લિસ્ટ-A સદી, વિશ્વનો સૌથી યુવા ખેલાડી. વિજય હજારે ટ્રોફીમાં 59 બોલમાં 150 રન, AB De વિલિયર્સનો રેકોર્ડ તૂટ્યો. IPLમાં 35 બોલમાં સદી, સૌથી નાની ઉંમરમાં IPLમાં સદી. ઈન્ડિયા A માટે T20 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી. ઈંગ્લેન્ડ અંડર-19 સામે 52 બોલમાં સદી, સૌથી ઝડપી યુવા ODI સદી. 58 બોલમાં યુવા ટેસ્ટ સદી, ભારત માટે સૌથી ઝડપી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 108 અણનમ, સૌથી નાની ઉંમરે સદી.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.