આટલું કર્યા પછી પણ BCCI વૈભવ સૂર્યવંશીને ટીમમાં તક નહીં આપી શકે! નડશે ICCનો આ નિયમ

હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલ રમાઈ ગયા પછી ભલે સમય વીતી ગયો હોય, તેમ છતાં વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગ્સના પડઘા હજુ પણ સમગ્ર ક્રિકેટ જગતમાં ગુંજી રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ફાઇનલમાં વૈભવે 80 બોલમાં 175 રન બનાવ્યા. આ માત્ર એક ઇનિંગ્સ જ નહીં, પણ તેણે એક રેકોર્ડબુક જ કબ્જે કરી લીધી હતી. 15 છગ્ગા, જબરદસ્ત સ્ટ્રાઇક રેટ અને એક એવી રમત જેણે ફાઇનલ જેવી મોટી મેચને પણ એકતરફી મેચમાં ફેરવી દીધી.

બિહારના આ 14 વર્ષના બેટ્સમેનને જોનારા દરેક ચાહકના મનમાં એક જ પ્રશ્ન છે, જો વૈભવ ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ યુવા બોલરોને નષ્ટ કરી શકે છે અને IPLમાં સદી પણ ફટકારી શકે છે, તો તે સિનિયર ભારતીય ટીમમાં કેમ નથી? આ પ્રશ્નનો એક જ જવાબ છે, ICCના અમુક નિયમો.

Vaibhav Suryavanshi
hindi.oneindia.com

વૈભવ સૂર્યવંશી સામે સૌથી મોટો અવરોધ છે ICCનો લઘુત્તમ વય (ઓછામાં ઓછી ઉંમરનો) નિયમ. 2020માં લાગુ કરવામાં આવેલા આ નિયમ હેઠળ, કોઈપણ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ઓછામાં ઓછું ૧૫ વર્ષનો હોવો જોઈએ. આ નિયમ ખેલાડીઓની શારીરિક અને માનસિક સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો.

વૈભવનો જન્મ 27 માર્ચ, 2011ના રોજ થયો હતો. ફેબ્રુઆરી 2026માં તેણે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે ટેકનિકલી હજુ 14 વર્ષનો જ હતો.

આનો અર્થ એ થયો કે, ભલે તે બિહાર માટે 36 બોલમાં સદી ફટકારે કે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે બોલરોની ખરાબ રીતે ધોલાઈ કરે, 27 માર્ચ, 2026 પહેલા સિનિયર ટીમમાં પસંદગી શક્ય નથી.

Vaibhav Suryavanshi
hindi.cricketaddictor.com

અહીં એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે વૈભવ હજુ સિનિયર ટીમ માટે ખૂબ નાનો છે, પરંતુ તે હવે અંડર-19 ટીમ માટે પણ ફરી વખત નહીં રમી શકે.

BCCIનો કડક નિયમ છે કે, ખેલાડી અંડર-19 વર્લ્ડ કપમાં ફક્ત એક જ વાર રમી શકે છે. આ નિયમનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, દરેક ટુર્નામેન્ટમાં નવા ખેલાડીઓને તક મળે અને કોઈપણ ખેલાડી તેમના વય જૂથ માટે 'સ્પેશિયલ' ન બની જાય.

2026ના અંડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે નામાંકિત થયા પછી, વૈભવ 2028 કે 2030ના અંડર-19 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં, પછી ભલે તે ઉંમર પ્રમાણે હજુ પણ અંડર-19 ખેલાડી હોય.

Vaibhav Suryavanshi
ndtv.in

વૈભવ સૂર્યવંશીએ છેલ્લા 12 મહિનામાં બનાવેલા રેકોર્ડ તેના ધ્યાનનું વાસ્તવિક કારણ છે: અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 80 બોલમાં 175 રન. 2026ના વર્લ્ડ કપમાં 30 છગ્ગા- એક નવો ટુર્નામેન્ટ રેકોર્ડ. 14 વર્ષ અને 272 દિવસની ઉંમરે લિસ્ટ-A સદી, વિશ્વનો સૌથી યુવા ખેલાડી. વિજય હજારે ટ્રોફીમાં 59 બોલમાં 150 રન, AB De વિલિયર્સનો રેકોર્ડ તૂટ્યો. IPLમાં 35 બોલમાં સદી, સૌથી નાની ઉંમરમાં IPLમાં સદી. ઈન્ડિયા A માટે T20 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી. ઈંગ્લેન્ડ અંડર-19 સામે 52 બોલમાં સદી, સૌથી ઝડપી યુવા ODI સદી. 58 બોલમાં યુવા ટેસ્ટ સદી, ભારત માટે સૌથી ઝડપી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 108 અણનમ, સૌથી નાની ઉંમરે સદી.

About The Author

Related Posts

Top News

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

એરપોર્ટ પર સોના-ચાંદીની તસ્કરીના કિસ્સા પણ સામે આવતા હોય છે. લોકો અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, પરંતુ કસ્ટમ...
Gujarat 
45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ લોકસભા સચિવાલયને PM CARES ફંડ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. PMOએ જણાવ્યું છે કે...
Politics 
‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.